Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરદાર બનીને ખુશ છે અક્ષય કુમાર

સરદાર બનીને ખુશ છે અક્ષય કુમાર
IFM
ફિલ્મનો નાયક સરદાર હોય, એવુ બહુ ઓછુ જોવા મળે છે. મોટાભાગે વેશ બદલીને નાયક સરદાર બની જાય છે. સન્ની દેઓલે 'બોર્ડર' અને 'જો બોલે સો નિહાલ' માં સરદાર નાયકની ભૂમિકા ભજવી હતી. હવે એક્શન સ્ટાર અક્ષય કુમાર 'સિંહ ઈઝ કિંગ'માં સરદારના રૂપમાં જોવા મળશે.

સરદાર બનીને અક્ષય ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે સરદારો મોટા દિલના હોય છે અને તેઓ ખુશમિજાજ હોય છે. અક્ષયે તેમના રીતિ-રિવાજોથી પણ સારી રીતે પરિચિત છે. અક્ષયનુ કહેવુ છે કે તેઓ દિલથી સરદાર છે.

અ ફિલ્મને લઈને શીખ સમૂહે થોડી ઘણી આપત્તિઓ રજૂ કરી હતી, જેનુ સમાધાન કરી લેવામાં આવ્યુ છે. 'સિંહ ઈઝ કિંગ'થી બોલીવુડને ઘણી આશાઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati