Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રણબીર કપૂર-કેટરીના કેફના સગાઈ કાર્ડ છપાયા ?

રણબીર કપૂર-કેટરીના કેફના સગાઈ કાર્ડ છપાયા ?
P.R

બોલીવુડ હોટ જોડી રણબીર કપૂર અને કેટરીના કેફ વચ્ચે સગાઈના સમાચાર છે. એક વેબસાઈટ મુજબ રણવીર-કેટરીનાએ રોમાંસના સમાચારો પર વિરામ મુકવા માટે સગાઈ કરવાનો નિર્ણય કર્યો છે.

તેના મુજબ રણવીર પોતાના સંબંધીઓને કેટરીના તેના પરિવારની વહુ(વધુ) હોવાની વાતો કરી રહ્યા છે.

અહી સુધી કે બંનેની સગાઈના કાર્ડ પણ છપાય ગયા છે, જો કે આ અફવા સાબિત થાય છે કે પછી જલ્દી બંને સગાઈ કરી લે છે એ માટે તેમના ફેંસે રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે સ્પેનના આઈબિઝા ટ્રિપની તસ્વીરો લીક થયા બાદથી આ જોડી ચર્ચામાં છે.

આ ફોટાઓ લીક થવાની કેટે એક બાજુ ભડાશ કાઢી હતી તો બીજી બાજુ રણવીરના માતા પિતા પણ તેમનાથી ખૂબ નારાજ હતા અને તેમને પોતાના ઘર પર કેટની એટ્રી પર બેન લગાવી દીધુ હતુ, હવે જોવાનુ એ છે કે આ સમાચારની બંને બાજુથી શુ પ્રતિક્રિયા આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati