Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીના ખોળામાં બેસ્યા સિવાય કોઈ છુટકો નથી - ઓમપુરી

મોદીના ખોળામાં બેસ્યા સિવાય કોઈ છુટકો નથી - ઓમપુરી
નવી દિલ્હી. , ગુરુવાર, 2 જૂન 2016 (11:53 IST)
બોલીવુડ સીનિયર એક્ટર અને થિયેટરના જાણીતા કલાકાર ઓમપુરી આમ તો વિવાદોથી દૂર રહે છે. પણ વિવાદ ક્યારેય તેમનો પીછો છોડતો નથી. તાજેતરમાં જ પોતાની પત્ની નંદિતાથી અલગ થવાના વિવાદને લઈને ચર્ચમાં આવેલ ઓમપુરી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક નિવેદનને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમણે પીએમને લઈને કહ્યુ કે હાલ મોદીજીના ખોળામાં બેસવા સિવાય છુટકારો નથી.  હવે જુઓ અમારી પાસે તો મોદીજી સિવાય કોઈ ચોઈસ છે જ નહી. બાકી ખોળા પણ અમે જોઈ જ લીધા છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓમ પુરી પોતાની આવનારી ફિલ્મ પ્રોજેક્ટ મરાઠવાડાનુ હાલ પ્રમોશન કરી રહ્યા છે. તેમણે મોદીને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની હાલત સાથે જોડાયેલ તેમની ફિલ્મ જરૂર જુઓ.  ફિલ્મમાં ગરીબી અને દુકાળનો સામનો કરી રહેલ ખેડૂતોની અસલ સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઓમપુરીએ તેમા વડીલ ખેડૂત તુકારામનુ પાત્ર ભજવ્યુ છે. ફિલ્મમાં દિલીપ તાહિલ, કુણાલ સેઠ, સીમા વિશ્વાસ, રાહુલ પટેલ, ફરાહ કાદરે કામ કર્યુ છે. ઓમપુરીએ બ્રિટિશ અને અમેરિકી સિનેમામાં પણ યોગદાન કર્યુ છે.  તેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પણ છે. જે ભારતના નાગરિક પુરસ્કારોના પદાનુક્રમમાં ચોથો પુરસ્કાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- માથા કૂટ થશે