Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મારી અને રણવીરની વાતો થતા શરમ નથી આવતી - દીપિકા પાદુકોણ

મારી અને રણવીરની વાતો થતા શરમ નથી આવતી - દીપિકા પાદુકોણ
, ગુરુવાર, 7 નવેમ્બર 2013 (16:24 IST)
P.R


વર્તમાન સમયમાં 'રામ-લીલા'ના પ્રોમોઝ દરમિયાન દીપિકા અને રણવીર વચ્ચેનો તાલમેલ ચર્ચાનો વિષય બની ગયો છે. બંને કલાકાર તેમની જોડીના થઈ રહેલ વખાણથી ખુશ છે અને ભવિષ્યમાં પણ સાથે કામ કરવાની આશા કરી રહ્યા છે. 'રામ-લીલા'દીપિકા અને રણવીરની જોડીવાળી પ્રથમ ફિલ્મ છે.

તેમની જોડીને લઈને થઈ રહેલ ચર્ચાઓ વિશે પૂછતા દીપિકાએ કહ્યુ, 'નહી, હુ અમારી જોડીને લઈને વારંવાર થતા પશ્નોના જવાબ આપતા થાક્યા નથી. મને આ સંબંધમાં વાત કરતા ખુશી થાય છે. દીપિકાએ એક રેડિયો સ્ટેશન પર ફિલ્મનો પ્રચાર કરતા કહ્યુ, 'મને આ તથ્યને સ્વીકાર કરવામાં કોઈ શરમ નથી કે અનેક મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક વસ્તુ એ છે કે લોકો પ્રોમો જોઈને અમારી જોડી પર ચર્ચા કરી રહ્યા છે. પ્રોમો જોઈન લોકો આ જ એક વાત પર ચર્ચા કરી રહ્યા છે તેથી ચોક્કસ આ એક સારી વાત છે.

સંજય લીલા ભંસાલીના નિર્દેશનમાં બનેલ 'રામલીલા' શેક્સપીયરની 'રોમીયો એંડ જૂલિયેટ' પર આધારિત છે. દીપિકાએ કહ્યુ, 'જ્યારે તમે એક જુનૂનથી પરિપૂર્ણ લવસ્ટોરી મતલબ 'રામ-લીલા' જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યા છો, તો પાત્રોની વચ્ચે આ પ્રકારના તાલમેલની જરૂર હોય છે. મને આશા છે કે જ્યારે લોકો ફિલ્મમાં અમને સાથે જોશે તો તેઓ દરેક વખતે પડદાં પર અમને સાથે જોવા માંગશે. મને આશા છે કે અમે ટૂંક સમયમાં જ કોઈ બીજી ફિલ્મમાં પણ સાથે કામ કરીશુ. રણવીરને પણ દીપિકા સાથે બીજીવાર કામ કરવાની આશા છે. 'રામ-લીલા' 15 નવેમ્બરના રોજ રજૂ થવા જઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati