Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાવેદ અખ્તર કેટરીના પર કવિતા લખશે

જાવેદ અખ્તર કેટરીના પર કવિતા લખશે
IFM

કેટરીના કેફના દિવાનાઓમાં હાલ જાવેદ અખ્તર પણ જોડાય ગયા છે. સલમાન ખાન અને રણબીર કપૂર તો પહેલાથી જ તેમના દિવાના હતા.

કેટરીનાની સુંદરતાએ જાવેદને એવા મંત્રમુગ્ધ કરી દીધા છે કે તે હવે કેટરીના પર કવિતા લખવા માંગે છે.

આ વિશે જાવેદે જણાવ્યુ કે એવુ નથી કે કેટરીના પર કવિતા નથી લખી શકાતી, જો તમે સલાહ આપી છે તો હું જરૂર વિચાર કરીશ. તેમણે કહ્યુ કે જોયાની ફિલ્મમાં જ્યાં ગીત જ્યા ગીત છે તો બીજી બાજુ કવિતા પણ છે. ફિલ્મમાં એક યુવા પાત્ર છે, જે કવિતા પણ કરે છે. મતલબ જાવેદ સાહેબ હવે એ પાત્રના માધ્યમથી કેટરીનાને પોતાના દિલની વાત કહેશે.

જાણવા મળ્યુ છે કે વર્તમાન દિવસોમાં જાવેદ સાહેબ કવિતા અને ગીતો લખવામાં વ્યસ્ત છે. હવે આવનારા દિવસોમાં કેટરીના જ બતાવશે કે તેને જાવેદની કવિતા ગમી કે નહી.

Share this Story:

Follow Webdunia gujarati