Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીના કપૂરે ઈસ્લામ નહી કબૂલ્યો

કરીના કપૂરે ઈસ્લામ નહી કબૂલ્યો
, સોમવાર, 10 ડિસેમ્બર 2012 (14:11 IST)
પટૌડીના નવાબ અને બોલીવૂડ કલાકાર સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા પછી પણ કરીના કપૂર હિન્દૂ જ છે. લગ્ન પછી જ અટકળો લગાવાઈ રહી હતી કે કરીના કપૂરે ઈસ્લામ સ્વીકાર કરી લીધો છે.
P.R

પરંતુ સેફ અલી ખાનની મા શર્મિલા ટૈગોરે કરીનાને ઈસ્લામ કબૂલવાની વાત નકારતા કહ્યુ કે કરીનાનો ધર્મ ઈસ્લામમાં પરીવર્તિત નથી કરવામાં આવ્યો. પણ તે પટૌડીની બેગમ છે. સેફ અલી ખાન નવાબ છે તેથી કરીના કપૂર બેગમ બની.

શર્મિલા ટૈગોરના મુજબ સેફને નવાબ કહેડાવવું પસંદ નથી. હું તેને કહુ છુ કે પરંપરાઓને ગંભીરતાથી લો અને તેને અપનાવો. તેના પર સેફ કહે છે કે લોકો પૂછશે ક્યાનુ રાજ્ય અને કેવો નવાબ ? શર્મિલા ટૈગોરનુ કહેવુ છે કે હું સેફની ભાવનાઓને સમજુ છુ.

પણ તમે પટૌડી ખાનદાનમાં છો તો લોકો નવાબ જ સમજે છે. તમે તમારા અતીતને નકારી નથી શકતા. શર્મિલા ટૈગોરે કહ્યુ કે 'સેફને લાગે છે કે આ પદવી માટે તેના પિતા ઠીક હતા. પિતાનું સ્થાન ભરવુ મુશ્કેલ છે.. મને લાગે છે કે આ બધુ સમયની સાથે ઠીક થઈ જશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સેફ અલી ખાનના કરીના કપૂર સાથેના લગ્નને ઘણા મૌલવીઓએ અમાન્ય કહ્યા છે. મૌલવીઓનું તર્ક હતુ કે જો સેફ મુસલમાન છે તો કરીનાએ પણ ઈસ્લામ સ્વીકાર કરવુ પડશે. પણ તેનાથી પટૌડી પરિવારને કોઈ ફરક ન પડ્યો અને તેમણે પોતાની મરજી મુજબ લગ્ન કર્યા. જો કે કરીના કપૂર સાર્વજનિક રૂપે ભાર આપીને કહી રહી છે કે હવે તેમને કરીના કપૂર ખાન કહેવામાં આવે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati