Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમા

કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમા
, સોમવાર, 4 ઑગસ્ટ 2014 (12:55 IST)
એક્ટ્રેસ કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. કરિશ્માના પ્રથમ લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા પણ હવે તે લગ્ન તૂટી ચુક્યા છે. તે પોતાના પતિ સંજય કપૂરથી છુટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી ચુકી છે. સૂત્રોના મુજબ છુટાછેટા પછી કરિશ્મા પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. બીજા લગ્ન કરવા માંગે છે. 
એવી માહિતી મળી છે કે કરિશ્માના જીવનમાં એક નવા પ્રેમની એંટ્રી થઈ ચુકી છે. બોલીવુડમાં ચાલી રહેલ સમાચાર મુજબ કરિશ્માના આ નવા પ્રિંસ ચાર્મિંગનુ નામ છે સંદિપ તોશનીવાલ. સંદિપ એક ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ બતાવાય રહ્યા છે. 39 વર્ષના સંદિપના છુટાછેડા થઈ ચુક્યા છે અને તેમને બે પુત્રીઓ છે.  
 
આ બંનેની ફ્રેંડશિપ ખૂબ જૂની નથી પણ બંને એકબીજાની કંપનીને ખૂબ પસંદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે બંનેનો પરિવાર પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે. જો કે કરિશ્માએ હજુ સુધી આ સંબંધને લઈને કોઈ નિવેદન નથી આપ્યુ પણ સૂત્રોનુ માનીએ તો સંજયથી છુટાછેડા મળતા જ આ કપલ લગ્નના બંધનમાં બંધાય જશે. કરિશ્માના પ્રથમ લગ્ન 2003માં સંજય કપૂરની સાથે થયા હતા. 
 
કરિશ્મા કપૂરનું કહેવુ હતુ કે સંજય તેમના પ્રત્યે વફાદાર નથી. લગ્ન પછી તેઓ દિલ્હી સોશલાઈટ પ્રિયા ચટવાલની સાથે સંબંધમાં હતા. કરિશ્મા અને તેમના પરિવારના પ્રયાસો છતા પણ તેમણે પ્રિયા સાથે પોતાના સંબંધો ચાલુ રાખ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati