Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આદિત્ય ચોપડા અને રાની મુખર્જી લગ્નના બંધને બંધાયા

આદિત્ય ચોપડા અને રાની મુખર્જી લગ્નના બંધને બંધાયા
, મંગળવાર, 22 એપ્રિલ 2014 (13:56 IST)
લાંબા સમયથી એક – બીજાની સાથે ડેટ કરી રહેલા ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા અને બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જીએ લગ્ન કરી લીધા છે. સોમવારે રાતે ઈટાલીના એક નાના શહેરમાં સાત ફેરાના બંધનમાં બંધાઈ ગયા. લગ્નમાં બન્ને પરિવારોના નજીકના સગાઓ અને દોસ્તો પણ સામેલ થયા હતા. રાની મુખર્જીએ લગ્નની ખાતરી આપતા કહ્યું કે હું મારા જીવનનો સૌથી સુખદ દિવસને માટે મારા ફેન્સની સાથે શેર કરવા ચાહું છું. તે ફેન્સ જેમણે મને આટલા લાંબા સમયની મુસાફરીમાં હંમેશા મારો સાથ આપ્યો. આ દિવસનો મારા ચાહનાર વર્ગ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. ઈટાલીના એક નાના શહરેમાં મેં લગ્ન કર્યા. આ ખૂબજ સારો દિવસ હતો. અને અમારા પરિવારના લોકો અને કેટલાક મિત્રો પણ હાજર હતા.
 
મહાન ફિલ્મ નિર્માતા યશ રાજના અતિંમ પળોમાં તેમની સાથે રહેનાર રાનીએ કહ્યું કે લગ્નના સમયે તેમણે સૌથી વધારે યશ અંકલને મિસ કર્યા. તેમના કહેવા મુજબ આ પ્રસંગ પર જે વ્યક્તિને મેં સૌથી વધારે મિસ કર્યા તે યશ અંકલ હતા. પરંતુ આ ખુશીના પ્રસંગ પર પણ તેઓ અમારી સાથે હતા અને તેમના આશીર્વાદ મારા અને આદીની સાથે હંમેશા રહેશે. હું હંમેશાથી પરીઓની સ્ટોરીમાં માનું છું. અને આ પ્રસંગ કંઈ તેઓ જ હતો, હવે મેં જીવનના સૌથી મહત્વપૂર્ણ અધ્યાયમાં પગલા પાડવા જઈ રહી છું, પરીઓની આ સ્ટોરી હજું પણ ચાલું છે.

યશરાજ  ફિલ્મે આ સમાચારની પુષ્ટિ કરી છે. નોંધનીય છેકે ઘણા સમયથી રાની અને આદિત્યને લગ્નને લઈને અટકળો ચાલી રહી હતી. ઉલ્લેખનીય છેકે વેલેન્ટાઈન ડેના દિવસે તેઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે તેવા સમાચાર પણ વહેતા થયા હતા પરંતુ પાછળથી તે સમાચાર એક અફવા સમાન રહ્યા હતા. 
 
રાની મુખર્જી અને આદિત્ય ચોપડા ઘણા સમયથી લાંબા રિલેશનમાં હતા. આદિત્ય ચોપડાના પહેલા લગ્ન કરી ચુક્યા છે અને છુટાછેડા બાદ તેઓ રાની મુખર્જી સાથે ડેંટીંગ કહતાં.રી રહ્યા 

Share this Story:

Follow Webdunia gujarati