Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમારને પોતાના પ્રશંસકો પર વિશ્વાસ

અક્ષય કુમારને પોતાના પ્રશંસકો પર વિશ્વાસ
P.R
આ વાત બધા જાણે છે કે નિર્દેશક નિખિલ અડવાણી, અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણ આ સમયે યુએસએસ, કેનેડા અને યુકેના જુદા જુદા શહેરોમાં પોતાની ફિલ્મ ચાંદની ચોક ટુ ચાઈનાના પ્રચાર માધ્યમ અને પ્રીમિયર શોની અંદર જોડાયેલ છે. આ ફિલ્મને લઈને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી ઉત્સુકતા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મને બમ્પર ઓપનિંગ મળી શકે છે.

તો બીજી બાજુ અમુક લોકો એવું વિચારી રહ્યાં છે અક્ષય અને નિખિલ અડવાણીને અત્યારે મુંબઈમાં હોવું જોઈતું હતું જેથી કરીને તે મુંબઈના દેશી માર્કેટમાં પણ ફિલ્મને પ્રમોટ કરી શકે. છેલ્લી ઘડિએ કરવામાં આવેલ પ્રચાર ફિલ્મ માટે ફાયદાકારક હોઈ બની શકતો પરંતુ અક્ષય અને દિપીકા અત્યારે અહીંયા નથી.

જ્યારે અક્ષયની સાથે આ વિશે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે વોર્નર બ્રધર્સ અને મારૂ વિચારવું છે કે ભારતમાં આપણે આ ફિલ્મને પ્રચારિત કરવાની જરૂરત નથી. ભારતીય પ્રશંસક મને પ્રેમ કરે છે અને તેમની પર મારો સંપુર્ણ વિશ્વાસ છે. અમે તો અન્ય દેશો માટે ચિંતિત છીએ. સાથે સાથે હું ઈચ્છુ છુ કે ચાંદની ચોક ટુ ચાઈના આંતરરષ્ટ્રીય સ્તર પર પોતાની છાપ છોડે.

Share this Story:

Follow Webdunia gujarati