Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રણેય ખાન સાથે રોમાંસ કરવા માંગે છે વીણા

ત્રણેય ખાન સાથે રોમાંસ કરવા માંગે છે વીણા
P.R

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ કહેવુ છે કે ફિલ્મ 'જીંદગી 50-50'માં તેમની ભૂમિકા બિંદાસથી વધુ યથાર્થવાદી છે. ઈણાએ શુક્રવારે અહી ફિલ્મનુ સંગીત રજૂ થવાના પ્રસંગ પર કહ્યુ, 'મને લાગે છે કે આ પાત્ર બિંદાસ નહી યથાર્થવાદી છે. આ એક યુવતીની સાચી વાર્તા છે અને મને આ માટે ઘણી મહેનત કરવાની છે.

વીણાએ આ ફિલ્મમાં યૌનકર્મચારી માધુરીની ભૂમિકા ભજવી છે. આ પાત્રને સમજવા માટે તેમણે યૌનકર્મચારી સાથે મુલાકાત્ર પણ કરી હતી. તેમણે કહ્યુ, 'મેં તેમને મળી અને જો ન મળી હોત તો હુ આ પાત્ર એટલુ સહજતાથી ભજવી ન શકત.

આ દરમિયાન વીણાએ બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી અને કહ્યુ, 'મને ત્રણેય ખાન પસંદ છે, ભલે એ આમિર ખાન, શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન. હુ તેમની સાથે કામ કરવુ પસંદ કરીશ. પણ તેમાંથી એકેય સાથે કામ કરવા ન મળ્યુ તો પણ હુ વીણા મલિક જ રહીશ.

'જીંદગી 50-50'માં રિયા સેન, આર્ય બબ્બર, રાજપાલ યાદવ અને રાજન વર્માએ પણ અભિનય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati