Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (28.12.2016)

જનમદિવસ અને જ્યોતિષ   - આજે જેમની વર્ષગાંઠ છે (28.12.2016)
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 28ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 1 હશે. 2 અને 8 પરસ્પર મળીને 10 થાય છે. આ રીતે તમારો મૂલાંક 1 હશે. તમે રાજસી પ્રવૃત્તિના વ્યક્તિ છો.  તમારે તમારા ઉપર કોઈનુ શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તમે એકદમ મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખૂબ જ મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સમનો કરવામાં સક્ષમ છો. તમે સૌન્દ્રય પ્રેમી છો. તમારી અંદર સૌથી વધુ પ્રભાવિત કરનારો તમારો આત્મવિશ્વાસ છે. જેને કારણે તમે મહેફિલોમાં આમ જ છવાય જાવ છો.  
 
શુભ તારીખ  : 1,  10,  19,  28 
 
શુભ અંક  : 1,  10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
 
શુભ વર્ષ  : 2017,  2026,  2044,  2053,  2062  
  
ઈષ્ટદેવ : સૂર્ય ઉપાસના અને માં ગાયત્રી 
 :
શુભ રંગ  : લાલ-કેસરીયા-ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ - 1, 10, 19, 28  તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટૃએ આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળાનો સ્વામી સૂર્ય છે. તો બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમા પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માટે એકદમ સુખદ રહેશે.  અધૂરા કાર્યોમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં મહત્વપુર્ણ કાર્ય થશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી  છે. લગ્નના યોગ બનશે. નોકરિયાત માટે સમય સારો છે.  પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે. આ વર્ષે તમારી મનોકામના પુર્ણ થશે. 
 
 
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિંકંદર 
- છત્રપતિ શિવાજી 
- ઈન્દિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- જૈકી શ્રોફ 
- વીર સાવરકર 
- જીન્નત અમાન 
- સુષ્મિતા સેન 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017