Publish Date: Mon, 03 Jun 2019 (15:05 IST)
Updated Date: Mon, 11 Nov 2019 (16:55 IST)
હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.
હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.
વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.
હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.
webdunia
Publish Date: Mon, 03 Jun 2019 (15:05 IST)
Updated Date: Mon, 11 Nov 2019 (16:55 IST)