Publish Date: Wed, 28 Aug 2019 (11:28 IST)
Updated Date: Wed, 28 Aug 2019 (11:30 IST)
જાગરણનો અહેવાલ જણાવે છે કે સરકાર ટ્રેનોમાં ખાલી બેઠકો ભરવા માટે ભાડું ઘટાડવાની યોજના લાવશે.
વરિષ્ઠ અધિકારીને નામ વગર ટાંકીને અહેવાલ કહે છે કે રેલવે શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં 25 ટકા રાહતની યોજના રજૂ કરશે.
અહેવાલ જણાવે છે કે જે ટ્રેનોમાં ગત વર્ષે 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી હતી તેમાં આવી યોજના લાગુ કરવામાં આવશે.
આ માટે માર્ગદર્શિકા નિયત કરવામાં આવી રહી હોવાનો અને 30 સપ્ટેમ્બર સુધી ટ્રેનોની યાદી નક્કી કરવાની હોવાની માહિતી પણ અહેવાલ આપે છે.