Publish Date: Tue, 23 Jan 2024 (14:53 IST)
Updated Date: Tue, 23 Jan 2024 (14:55 IST)
- રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ
- થોડા સમય માટે દરવાજા બંધ હતા
- વધતી ભીડ અંગે નિર્ણય લેવાયો
રામ મંદિરમાં પ્રવેશ બંધ- અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં હાજર રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. વધતી ભીડને જોતા મંદિર પ્રશાસને થોડા સમય માટે મંદિરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સવારથી જ હજારો ભક્તો રામ મંદિર પરિસરમાં રામલલાના દર્શન કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. સુરક્ષા કર્મચારીઓને પણ તેમને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રામલલાના દર્શન કરવા માટે કેવી રીતે ભક્તોની ભીડ ઉમટી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામલલાના દર્શન દરરોજ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. મંદિર સંકુલ દિવસભર 9 કલાક ખુલ્લું રહેશે. સવારે 7 થી 11.30 અને પછી બપોરે 2 થી 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. દિવસમાં બે વખત રામલલાની આરતી કરવામાં આવશે. ભક્તોને આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. પાસ માટે કોઈ ફી રહેશે નહીં. આરતીમાં એક સાથે માત્ર 30 લોકો જ ભાગ લઈ શકશે. સરકારી ID સાથે, પાસ જન્મભૂમિ સંકુલમાં આવેલી ઓફિસમાંથી અથવા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાય છે.