Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...

કેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...
, મંગળવાર, 17 એપ્રિલ 2018 (14:48 IST)
અક્ષય તૃતીયા- અખાત્રીજ અબૂઝ મૂહૂર્ત ગણાયું છે. આ પર્વ વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ,તપ, જ્ઞાન અમે દામ અક્ષય ફળ આપતું હોય છે તેથી તેને "અક્ષય તૃતીયા" કહે છે.
આ દિવસે સતયુગનો આરંભ હોય છે. તેથી તેને યુગાદિ તૃતીયા પણ કહે છે. જો આ વ્રત સોમવાર કે રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક ગણાય છે. 
 
જો તૃતીયા મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે. તેનો શ્રેષ્ઠ ફળ મળે છે. આ વ્રત દાન પ્રધાન છે. આ દિવસે અધિકાધિક દાન આપવાનો મોટું મહાત્મય છે. 
આવી રીતે કરવું અક્ષય તૃતીય વ્રત 
* વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું. 
 
* ઘરની સફાઈ અને દરરોજના કર્મથી નિવૃત થઈ પવિત્ર અને શુદ્ધ જળથી સ્નાન કરવું. 
 
* ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું. 
 
નિમ્ન મંત્રથી સંકલ્પ કરવું- 
 
મમાખિલપાપક્ષયપૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્ત્યે 
ભગવત્પ્રીતિકામનયા દેવત્રયપૂજનમહં કરિષ્યે  
* સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવું. 
 
* ષોડ્શોપચાર વિધિથી ભગવાન વિષ્ણુનો પૂજન કરવું. 
 
* ભગવાન વિષ્ણુને સુગંધિત પુષ્પમાળા પહેરાવો. 

અક્ષય તૃતીયાના દિવસે કુંભના દાનનું છે વિશેષ મહત્વ

* નૈવેદ્યમાં જવ ઘઉંનો સત્તૂ, કાકડી અને ચણાની દાળ અર્પણ કરવું. 
 
* જો હોઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવું. 
 
* અંતનાં તુલસી જળ ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akshay Tritiya - ધન પ્રાપ્તિ માટે ઉપાય