Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહીનબાગ ખાતે માત્ર એક જ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે : નીતિન પટેલ

શાહીનબાગ ખાતે માત્ર એક જ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે : નીતિન પટેલ
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (10:32 IST)
ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો અંગે ટિપ્પણી કરી હતી.
 
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું : "માત્ર એક જ સમુદાયના લોકો શાહીનબાગમાં CAAનો વિરોધ કરી રહ્યા છે."
 
"આ પ્રદર્શનો પરથી સ્પષ્ટ છે કે આ કાયદાના કારણે કઈ કોમની ભાવનાઓને અસર થઈ છે."
 
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વારંવાર CAA કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ ન હોવાની દલીલ કરતા રહ્યા છે.
 
આવી પરિસ્થિતિમાં ગુજરાતના ઉપમુખ્ય મંત્રીએ CAAને અમુક સમુદાયના લોકો સાથે જોડીને ફરીથી વિવાદ સર્જ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકાર 57 હજાર યુવાનોને નોકરી આપવા ભરતીમેળો યોજશે