Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ambaji Way- યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો વધુ ૧૦ દિવસ સુધી બંધ રહેશે

Ambaji Way- યાત્રાધામ અંબાજી જવાનો રસ્તો વધુ ૧૦ દિવસ સુધી બંધ રહેશે
, મંગળવાર, 17 માર્ચ 2020 (16:46 IST)
દાંતાથી અંબાજી રસ્તા ઉપર ત્રિશુળીયા ઘાંટા ઉપર અકસ્માતો નિવારવા માટે પ્રોટેકશન વોલ, રસ્તાને પહોળો કરવાની તેમ જ ઘાંટો ઉતારવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી તેમ જ સદરહૂ હયાત રસ્તાની હીલ કટિંગ માટે ત્રિશુળીયા ઘાંટામાં ચેઇનેજ કિ.મી. ૧૦૦/૮૦૦ થી ૧૦૩/૦૦ રસ્તાની પહોળાઈ વધારવા માટે રસ્તાનો ટ્રાફિક ચાલુ રાખી શકાય તેમ નથી. આ રસ્તો અકસ્માત સંભવિત હોઇ અંબાજી જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર સંદીપ સાગલે, (આઇ.એ.એસ.)ને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અંબાજીનો રસ્તો બંધ કરી તેના વિકલ્પે આ રસ્તા ઉપરનો વાહનવ્યવહાર દાંતા-કણબીયાવાસ-કુવારસી-બોરડીયા-બેડા-હાથીપગલા-સનાલી-હડાદ-મચકોડા-ગનાપીપળી-ચિખલા-અંબાજી પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી દિન-૧૦ સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ મુજબ સજાને પાત્ર ઠરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિર્ભયા કેસ: હવે અક્ષય ઠાકુરની પત્નીની ચાલ, પતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી!