Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vat Savitri Vrat 2023 - અતિ દુર્લભ સંયોગમાં કરવામાં આવશે વટ સાવિત્રી વ્રત, જાણો શુ પૂજાની સામગ્રી અને સંપૂર્ણ પૂજા વિધિ

Vat Savitri Vrat 2023 - અતિ દુર્લભ સંયોગમાં કરવામાં આવશે વટ સાવિત્રી વ્રત, જાણો શુ પૂજાની સામગ્રી અને સંપૂર્ણ પૂજા વિધિ
, ગુરુવાર, 18 મે 2023 (16:20 IST)
Vat Savitri Vrat 2023 - હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનનઈ અમાસ તિથિના રોજ વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે.  આ વર્ષે આ વ્રત 19 મે 2023 શુક્રવારે રાખવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. આ સાથે જ સાવિત્રી દેવી અને મા પાર્વતીને સૌભાગ્યની કામના કરે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે ખૂબ શુભ યોગ બની રહ્યો છે. જાણો વટ સાવિત્રી વ્રતનુ શુભ મુહુર્ત પૂજા વિધિ અને સામગ્રી. 
 
વટ સાવિત્રી 2023 પર બની રહ્યો છે ખાસ યોગ 
 
આ વર્ષે વટ સાવિત્રી વ્રત ખૂબ ખાસ છે. કારણ કે આ વર્ષે શનિ જયંતી પણ આ જ દિવસે આવી રહી છે.  આ ઉપરાંત શનિના કુંભ રાશિમાં આવવાથી મહાપુરૂષ યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે. સાથે જ સિદ્ધિ યોગ અને ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. આ સાથે સાથે શોભન યોગ સાંજે 6 વાગીને 17 મિનિટ સુધી રહેશે. આ શુભ યોગમાં પૂજા કરવાથી વિશેષ લાભ મળી શકે છે. 
 
વટ સાવિત્રી વ્રત 2023 શુભ મુહુર્ત 
 
જયેષ્ઠ અમાસ તિથિ શરૂ - 18 મે ગુરૂવારે રાત્રે 09 વાગીને 42 મિનિટથી શરૂ 
જયેષ્ઠ અમાસ તિથિનુ સમાપન - 19 મે શુક્રવારે રાત્રે 9 વાગીને 22 મિનિટ સુધી 
શોભન યોગ - સવારથી લઈને 06 વાગીને 17 મિનિટ સુધી 
 
વટ સાવિત્રી વ્રત 2023 પૂજા મુહૂર્ત 
 
ચર -સામાન્ય મુહૂર્ત - સવારે 5 વાગીને 28 મિનિટથી સવરે 7 વાગીને 11 મિનિટ સુધી 
લાભ - ઉન્નતિ મુહૂર્ત - સવારે 7 વાગીને 11 મિનિટથી સવારે 08 વાગીને 53 મિનિટ સુધી 
અમૃત સર્વોત્તમ મુહૂર્ત - સવારે 8 વાગીને 53 મિનિટથી સવારે 10 વાગીને 35 મિનિટ સુધી 
શુભ ઉત્તમ મુહૂર્ત - બપોરે 12 વાગીને 18 મિનિટથી બપોરે 2 વાગ્યા સુધી. 
 
વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રી 
 
- સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવ માટે ગાયનુ છાણ 
- કાચો દોરો અથવા સફે દોરો 
- વાસનો પંખો 
- લાલ દોરો 
- વડની એક કૂંપળ 
- શક્કરટેટી, કેરી જેવા ફળ 
- ફૂલ, માળા 
- બતાશા 
- સિંદૂર, કંકુ 
- અત્તર 
- સોપારી 
- પાન 
- લાલ કપડુ 
- ચોખા 
- સુહાગનો સામાન 
- રોકડા રૂપિયા 
- બંગડી 
- પલાળેલા ચણા 
-  લોટ અને ગોળથી બનેલા ગુલગુલા 
- સ્ટીલ કે કાંસાની થાળી 
- મીઠાઈ 
- માટી કે પીત્તળનો દિવો 
- ઘી 
 
વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ 
 
- વટ સાવિત્રી વ્રતના દિવસે સૂર્યોદય પહેલા બધા કાર્યોથી પરવારીને સ્નાન વગેરે કરી લો, ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. આ વાતનુ ધ્યાન રાખો કે કોઈપણ વસ્ત્ર, સોળ શૃંગાર વગેરે કાળા, સફેદ કે પછી ભૂરા રંગના ન હોય 
- હવે પૂજાની તૈયારી કરી લો. સૌથી પહેલા સ્વચ્છ પાણી અને લોટનો ઉપયોગ કરીને ગુલગુલા અને પૂરી વગેરે બનાવી લો. સાથે જ ચોખા હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 
- હવે મહિલાઓ લાલ, પીળી કે પછી લીલા રંગની સાડી, સૂટ વેગેરે પહેર્યા બાદ સોળ શૃંગાર જરૂર કરો. 
- વડના ઝાડ નીચે જઈને ગાયના ગોબરથી સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવો. જો ગાયનુ છાણ ન મળી રહ્યુ હોય તો બે સોપારીને લાલ દોરામાં લપેટીને માતા પાર્વતીના પ્રતિકના રૂપમાં મુકી દો. ત્યારબાદ ચોખાવાળુ પેસ્ટ
હથેળીમાં લગાવીને સાત વાર વડના ઝાડ પર છાપા લગાવો. 
- હવે વટ વૃક્ષમા જળ અર્પિત કરો અને પછી ફુલ, માળા, સિદૂર, ચોખા, મીઠાઈ, શક્કર ટેટી, સફરજન વગેરે અન્ય મીઠઈ સાથે ફળ અર્પિત કરો 
- હવે 14 પુરી લો અને દરેક પુરીમા 2 પલાળેલા ચણા અને આટાગોળના ગુલગુલા  મુકી દો અને તેને વડની જડમાં મુકી દો. આ સાથે જ વાંસનો પંખો મુકો અને પછી જળ અર્પિત કરો. 
- હવે ઘી નો દિવો અને ધૂપ પ્રગટવો ત્યારબાસ સફેદ દોરાને કે પછી નોર્મલ દોરો કે નાડાછડી વગેરે લઈને વૃક્ષની ચારેબાજુ પરિક્રમા કરો. 
- 5 કે 7 તમારી શ્રદ્ધા મુજબ પરિક્રમા કરી લો. આ સાથે બચેલો દોરો ત્યા છોડી દો. હવે વ્રત કથા વાંચો કે સાંભળો. સાંભળતી વખતે હાથમાં પલાળેલા ચણા લો. 
- કથા શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા પછી હાથના ચણા વટની જડમાં ચઢાવી દો. 
- કથા સાંભળ્યા બાદ સુહાગન સ્ત્રીઓ માતા પાર્વતી અને સાવિત્રીને ચઢાવેલુ સિંદુર ત્રણવાર લઈને તમારા સેંથામા પૂરો. પછી વિધિપૂર્વક આરતી કરીને ભૂલ ચૂક માટે માફી માંગી લો. 
- ત્યારબાદ મહિલાઓ પોતાનુ વ્રત ખોલી શકે છે. વ્રત ખોલવા માટે વડની એક કૂંપળ અને 7 ચણા લઈને પાણી સાથે ગળી જાવ. 
- ત્યારબાદ પ્રસાદના રૂપમાં પુરી, ગુલગુલા, શક્કરટેટી વગેરેનુ સેવન કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)