Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય

VIDEO  શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય
, શનિવાર, 19 ઑગસ્ટ 2017 (09:00 IST)
હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ ,ક્લેશ ,અસફળતા દૂર રાખી  સૌભાગ્ય ,સફળતા અને સુખ લાવે છે. જાણો શનિ  દેવને પ્રસન્ન  કરવાના 10 ઉપાય ..
 
મોતીદાન કરોજો તમે શનિને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્ર્વારની રાતે કાળા ચણા પાણીમાં પલાળો. શનિવારે આ કાળા ચણા  સાથે સળગાવેલા કોલસા  હળદર અને લોખંડનો એક ટુકડો લો અને એક કાળા કપડામાં બાંધી  લો. પોટલીને પ્રવાહિત પાણીમાં ફેંકી દો જેમાં માછલીઓ હોય . આ પ્રક્રિયાને એક વર્ષ સુધી દર શનિવારે કરો. આ ઉપાય શનિના અશુભ પ્રભાવને કાણે  ઉત્પન્ન થતી મુશ્કેલીઓને સમાપ્ત કરશે. 
 
ઘોડાની નાળઆ રીતે પણ તમે શનિદેવને પ્રસન્ન રાખી કરી શકો  છો,તમે  ક્યાંથી પણ ઘોડાની નાળ શોધી લાવો. શનિવારે કોઈ લુહારને ત્યાં એની વીંટી બનાવો. શુક્રવારની રાતે એને કાચા દૂધમાં કે સાફ પાણીમાં ડૂબાડી રાખો. શનિવારે સવારે આ વીંટીને પોતાના ડાબા હાથની મધ્યમામાં પહેરી લો. આ તમને તત્કાલ પરિણામ આપશે. 
 
કાચો સૂતર કરશે શનિથી રક્ષા : શનિવારે પીપળના વૃક્ષના ચારે બાજુ સાત વાર કાચો સૂત લપેટો..સૂત લપેટતી વખતે શનિ મંત્રનો જાપ કરવો. આ તમારી સાઢેસાતીની બધી  મુશ્કેલીઓ દૂર લઈ જાય છે. દોરાને  લપેટી પછી પીપળના ઝાડની પૂજા અને દીપક પ્રગટાવવો. . સાઢેસાતીના પ્રયોગથી બચવા માટે આ દિવસે  ઉપવાસ રાખતા માણસો દિવસમાં એક વાર મીઠા વગરનું  ભોજન કરવુ  જોઈએ. 
 
કાળી ગાયની પૂજા કરવી જોઈએ :શનિદેવને તમે કાળા રંગની ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન કરી શકો છો. એ માટે તમારે  ગાયના માથા પર તિલક કરવું એના સિંગડામાં પવિત્ર દોરો બાંધવો.  અને પછી ધૂપદીપ કરવી  ગાયની આરતી જરૂર કરવી જોઈએ. છેવટે ગાયની પરિક્ર્મા કર્યા પછી તેણે ચાર બુંદીના લાડૂ ખવડાવો. આ શનિદેવની સાઢેસાતીના બધા પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે. 
 
સરસવના તેલનો દીપક પ્રગટાવો : શનિવારની સાંજે પીપળના ઝાડ  નીચે સરસવના તેલનો  દીપક પ્રગટાવવો  જોઈએ ,તે પછી ઝાડના સાત ચક્કર લગાવ જોઈએ. આ પૂજા પછી કોઈ કાળા કૂતરાને 7 લાડૂ ખવડાવવાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે અને સકારાત્મક પરિણામ આપે છે. 
 
એક કાળો દોરો કરશે શનિને પ્રસન્ન : શનિવારના દિવસે તમે તમારા હાથની લંબાઈથી  19 ગણો  લાંબો એક કાળા દોરો લો તેને એક માળાનું રૂપ આપી તમારા ગળામાં ધારણ કરી લો. આ સારું પરિણામ આપશે અને ભગવાન શનિને તમારા પર કૃપાવાન બનાવશે. 
 
ગાયને ખવડાવો રોટલીકોઈ પણ શનિવારે લોટ ( ચણામણ સાથે) બે રોટલી બનાવો. એક રોટલી પર સરસવનો તેલ અને મિઠાઈ મુકો.  જ્યારે બીજા પર ઘી . પ્રથમ રોટલી (તેલ અને મિઠાઈ વાળી) રોટલી એક કાળી ગાયને ખવડાવવી  એ પછી બીજી રોટલી પણ તે જ ગાયને ખવડાવી. હવે શનિદેવની પ્રાર્થના કરો.અને તેમને શાંતિ અને સમુદ્ધિની કામના કરો. 
 
43 દિવસ સુધી ચઢાવો તેલ -શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે  ઉગતા સૂરજને સતત 43 દિવસો સુધી ( રવિવારે છોડીને) શનિદેવની મૂર્તિ પર તેલ ચઢાવવું . આ ધ્યાન રાખો કે શનિદેવને પ્રસન્ન કરવાની આ વિધિ શનિવારના દિવસેજ આરંભ કરવી જોઈએ. 
 
ગોળ અને કાળા ચણાદર શનિવારે વાનરોને ગોળ અને કાળા ચણા ખવડાવવા. આ સિવાય કેળા કે મીઠાઈ પણ  ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ઘણા મદદગાર છે.   
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube 
પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા