Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જલારામ બાપાની બાધા કરવાની વિધિ

જલારામ બાપાની બાધા કરવાની વિધિ
, ગુરુવાર, 11 નવેમ્બર 2021 (08:01 IST)
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયની અનંત શ્રધ્ધાથી પૂજા કરવી. બીજી વર્ષે બાપાની એજ રીતે પૂજા કરવી અને નવુ નારિયેર મૂકવુ. જુના નારિયેરનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 
'શ્રી રામ જય રામ, જયરામ' ની એક માળા કરવી, ત્યારબાદ બીજી માળા 'સીતારમ જલારામ'ની કરવી. આ રીતે દર ગુરૂવારે બાપાની પૂજા કરવી.
 
દર શનિવારે તેલનો દીવો કરવો, શનિવાર કે ગુરૂવારે શક્તિ મુજબ અપંગોને દાન કરવુ.
 
જલારામ બાપાના નામે પાંચ ગુરૂવાર કરવા.
 
દર ગુરૂવારે 1 સફરજન, એક જામફળ, 1 સંતરા, 6 ચીકુ, અને 12 કેળાનો પ્રસાદ એક થાળીમાં મુકીને બાપાને ધરાવવો. બાપાની પૂજા કરી માળા કરવી અને આરતી ઉતારીને બાપાને ધરાવેલ પ્રસાદની થાળીમાં એક તુલસીનું પાન મુકી બાપાને પ્રેમથી જમાડવા. ત્યારબાદ આ પ્રસાદમાંથી ખવાય તેટલો ખાવો બાકીનો વહેંચી દેવો, આ સિવાય કંઈ પણ ખાવવું નહી.
 
આ ઉપરાંત દર ગુરૂવારે પાશેર સાકર અને નારિયળનો પ્રસાદ બાપાને ધરાવવો અને એનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જલારામ વાણી - વીરપુર જાઉ જલારામને મનાઉ