Publish Date: Mon, 19 Dec 2016 (17:52 IST)
Updated Date: Mon, 19 Dec 2016 (18:02 IST)
પૌષમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને હનુમાન અષ્ટ્મીનો પર્વ ઉજવાય છે. આ સમયે આ પર્વ 21 ડિસેમ્બર બુધવારે છે. માન્યતા મુજબ આ દિવસ સે હનુમનાજીને ચોલા ચઢાવવાથી કેટલાક ખાસ ઉપાઉ કરવાથી બગડેલા કામ બની જાય છે. અને સાધક પર હનુમાનજીની ખાસ કૃપા હોય છે. આ દિવસે હનુમાનજીનો પેઅસન્ન
કરવા માટે શું ઉપાય કરવા અને કઈ રીરે ચોલા ચઢાવવા જાણૉ-
હનુમાનજીને ચોલા ચઢાવતા પહેલા પોતે સ્નાન કરી શુદ્ધ થઈ જાઓ અને સાફ વસ્ત્ર ધારણ કરો. માત્ર લાલ રંગની ધોતી પહેરો તો વધારે સારું રહેશે. ચોલા ચઢાવત માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. સાથે ચઢાવતા સમયે એક દીપક હનુમાનજીના સામે પ્રગટાવીને મૂકો. દીપકમાં પણ ચમેલીના તેલનો પ્રયોગ જ ઉપયોગ કરવું.
ચોલા ચઢાવ્યા પછી હનુમાનજીને ગુલાબના ફૂલબી માળા પહેરાવો અને કેવડાના ઈત્ર હનુમાનજીની મૂર્તિના બન્ને ખભા પર થોડા-થોડા છાંટી દો. હવે એક આખા પાન લો અને તેના ઉપર થોડા ગોળ અને ચના મૂકી હનુમાનજીને ભોગ લગાડો. ભોગ લગાડ્યા પછી તે સ્થાન પર થોડી વાર બેસીને તુલસીની માળાથી નીચે લખેલું મંત્ર ઓછામાં ઓછા 5 માળા જરૂર કરવી.
રામ રામેતિ, રામ રામે મનો રામે | સહસ્ત્ર નામ તતુંભ્યમ્ રામનામ વરાનને ||
હવે હનુમાનજીને ચઢાવેલા ગુલાબ ના ફૂલની માળાથી કે ફૂલ તોડી , તેને લાલ કપડામાં લપેટીને તમરા ધન સ્થાન એટકે કે તિજોરીમાં મૂકો. તેનાથી ધન સંબંધી સમસ્યા દૂર થવાના યોગ બનવા લાગશે.