Publish Date: Sat, 03 Sep 2022 (06:04 IST)
Updated Date: Sat, 03 Sep 2022 (09:05 IST)
મીઠું વર્જિત - જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેમને આ દિવસે મીઠાનુ સેવન ન કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળી વસ્તુનું સેવન ન કરવું.સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા અને સ્પર્શ ન કરવો
રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહેતા તેથી માતા સ્વરૂપ મહિલા પૂજા કરે કે તેમનો સ્પર્શ એવુ તેઓ પસંદ કરતા નહોતા. પણ જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેમનેસ્પર્શ ન કરવુ જોઈએ તેમને ચાંદલો ન કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.
લાલ રંગ પ્રિય - ભૂલથી પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવી. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી.
શુદ્ધતાનુ રાખો ધ્યાન - હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેમની પૂજા કરતી વખતે પૂજા કરતા સમયે તન મનની સંપૂર્ણ સફાઈ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન તો ઘરે તેમની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.
શાંતિપ્રિય હનુમાન - જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાન આવી પૂજાથી પ્રસન્ન થતા નથી અને પૂજાનુ ફળ પણ મળતુ નથી.
આ પણ ધ્યાન રાખો
હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો પ્રયોગ થતો નથી આ સાથે જ ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.