Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાનજી પાસેથી વરદાન મેળવવા મંગળવારે જરૂર કરો આ 5 કામ

હનુમાનજી પાસેથી વરદાન મેળવવા મંગળવારે જરૂર કરો આ 5 કામ
, મંગળવાર, 15 ઑગસ્ટ 2023 (07:46 IST)
શાસ્ત્રો મુજબ મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના જરૂર કરવી જોઈએ. 
મંગળવારે પૂજા -અર્ચના કરવાથી હનુમાનજી ખાસ રૂપમાં પ્રસન્ન થાય છે. સાથે જ તેમની કૃપા ભક્તો પર હમેશા બની રહે છે. આમ તો દરેક દિવસ  મંદિર જવું જોઈએ પણ મંગળવારે હનુમાન મંદિર જરૂર જવું. 
 
આ દિવસે મંદિર જવાથી બધા બગડેલા કામ સરળતાથી બની જાય છે. સાથે જ પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો ખાસ વરદાન પણ આપે છે. 
 
હનુમાનજીને આ દિવસે લાલ ફૂલ અને તૈયાર કરેલું પાન જરૂર ચઢાવવું . હનુમાનજીને હલવો, પંચ મેવા , ગોળથી બનેલા લાડુ અન દીઠાંવાળુ પાન  વગેરે પ્રિય છે. આથી તેમને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. 
 
હનુમાનજીને  સિંદૂર ખૂબ પસંદ છે. આથી મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર જરૂર ચઢાવવુ તેના માટે વિધિ-વિધાન સાથે પૂજન  કરો. આ દિવસે સિંદૂર ચઢાવવાથી દરેક રીતના સંકટોનું સમાધાન થાય છે. 
 
ચમેલીના તેલનો દીવો હનુમાનજીના સામે મૂકી ચમેલીના તેલ સાથે સિંદૂર ચઢાવવું. ત્યારબાદ લાલ રંગના ફૂલ ચઢાવો. આવું કરવાથી હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થશે. 
 
એક પાન લઈને તેમાં થોડા ગોળ-ચણા નાખી હનુમાનજીને ભોગ લગાવો. ત્યારબાદ આ મંત્રનો જાપ જરૂર કરો. 
 
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્ત્ર નામ તત્તુંન્યં રામ નામ વરાનને
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Independence day 2023 Live: દેશ મણિપુરના લોકો સાથે, દેશને શાંતિપૂર્ણ ઉકેલનો માર્ગ મળશે, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન