Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્થિક સંકટ હોય તો ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..

આર્થિક સંકટ હોય તો ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..
, ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (09:16 IST)
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.
આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ
ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ
વાસ રહેશે.
 
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિસસે આ દેવતાઓને કેટલીક જરૂરી વસ્તુઓ અર્પિત કરવી જોઈએ.
જેનાથી તમારા સંકટ દૂર થઈ શકે છે.
તો આવો જાણીએ જો આર્થિક સંકટ હોય તો તે કયા ઉપાય છે જે કામ આવી શકે છે.
 
ગુરૂવારના દિવસે કરો આ કામ
- ગુરૂવારના દિવસે સ્નાન ધ્યાન પછી તમારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ.
આ સાથે જ ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ. ગુરૂવારે
પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Makar Sankranti 2021: 14 કે 15 જાન્યુઆરી ? જાણો મકર સંક્રાંતિની તારીખ અને પુણ્ય કાળ મુહૂર્ત