Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chaitra Purnima 2023: પૈસાની સમસ્યા છે તો ચૈત્ર પૂર્ણિમા પર જરૂર કરો આ કામ, લક્ષ્મી આવશે તમારે દ્વાર

Chaitra Purnima 2023
, બુધવાર, 5 એપ્રિલ 2023 (09:04 IST)
Chaitra Purnima 2023:  આજે (5 એપ્રિલ) ચૈત્ર શુક્લ પક્ષ ચતુર્દશી અને બુધવારની ઉદયા તિથિ છે. ચતુર્દશી તિથિ આજે સવારે 9.19 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પૂર્ણિમા તિથિ શરૂ થશે. આજે વ્રતની પૂર્ણિમાનો દિવસ છે. ચૈત્ર શુક્લ માસની પૂર્ણિમા આ વખતે બે દિવસની છે અને જ્યારે પૂર્ણિમા બે દિવસની છે ત્યારે પ્રથમ દિવસે વ્રતની પૂર્ણિમા છે. પૂર્ણિમા તિથિ આવતીકાલે (6 એપ્રિલ) સવારે 10.4 મિનિટ સુધી રહેશે. એટલે કે પૂર્ણિમા તિથિએ આજે ​​(5 એપ્રિલ)ની રાત્રે જ પૂર્ણિમાનો ઉદય થશે. તેથી જ આજે (5 એપ્રિલ) ચૈત્ર પૂર્ણિમા વ્રત કરવામાં આવશે.
 
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે.  તમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો, જો તે શક્ય ન હોય તો, તમારે પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ, તેમજ પૂર્ણિમાના દિવસે તમારી ક્ષમતા મુજબ થોડું દાન કરવું જોઈએ. ચાલો જાણીએ પૂર્ણિમાના દિવસે કેટલાક ખાસ ઉપાયો વિશે.
 
- ચૈત્ર પૂર્ણિમાની રાત્રે મા લક્ષ્મીને ખીર અથવા કોઈપણ સફેદ મીઠાઈ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા પ્રસન્ન થાય છે. સાથે જ તે ઘણા બધા આશીર્વાદ પણ વરસાવે છે.
- ચૈત્ર પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરી પીપળના ઝાડ પાસે જાવ.  કંઈક મીઠી વસ્તુ અર્પણ કરો. એવું કહેવાય છે કે પીપળના ઝાડમાં મા લક્ષ્મીનું આગમન થાય છે. તેથી આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
- માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પૂર્ણિમાના દિવસે માતાને 11 કોડીઓ ચઢાવો. આ સાથે તેમને હળદરનું તિલક લગાવો. ત્યારપછી પૂર્ણિમાના બીજા દિવસે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકો. આવુ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે.
- જો તમારા વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા હોય તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે પતિ-પત્નીએ મળીને ચંદ્ર દેવને અર્ઘ્ય અર્પણ કરવુ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં આ દિવસે હનુમાનજીના મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - 'ઓમ નમો ભગવતે હનુમતે નમઃ' આ તમારી બધી પરેશાનીઓ દૂર કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો