Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amas- જીવનની પરેશાનીઓ દૂર કરશે અમાસના 10 સરળ ઉપાય

Amas- જીવનની પરેશાનીઓ દૂર કરશે અમાસના 10 સરળ ઉપાય
, મંગળવાર, 21 એપ્રિલ 2020 (16:50 IST)
જ્યોતિષશાસ્ત્રમાં અમાવસ્યકને ખાસ તિથિ ગણાયું છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય, ટોટકે ખાસ જ શુભ ફળ આપે છે. તેથી જીવનમાં આવી રહી બધી પરેશાનીઓને દૂર કરવા માટે અમાવસ્યા પર આ ઉપાય જરૂર અજમાવવા જોઈએ. અહીં વેબદુનિયાના વાચકો માટે છે બહુઉપયોગી ટોટકા... 
 
* અમાવસ્યાના દિવસે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવાના ખાસ મહત્વ છે. 
* અમાવસ્યાના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી લોટની ગોળી બનાવો. ગોળીઓ બનાવતા સમયે ભગવાનનો નામ લેતા રહો. ત્યારબાદ પાસે સ્થિત કોઈ તળાવ કે નદીમાં જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી તમારા જીવનમાં ઘણી પરેશાનીઓનો અંત થઈ શકે છે.
* આ દિવસે કાળી કીડીઓને ખાંડ મિક્સ કરી લોટ ખવડાવો. આવું કરવાથી તમારા પાપ-કર્મનો ક્ષય થશે અને પુણ્ય કર્મ ઉદય થશે. તે પુણ્ય કર્મ તમારી મનોકામના પૂર્તિમાં સહાયક થશે. 
* બેરોજગાર માણસ જો અમાસની રાત્રે આ ઉપાય કરીએ તો નક્કી જ તેને રોજગાર મળશે. તેના માટે 1 લીંબૂને સાફ કરીને સવારેથી જ તમારા ઘરના મંદિરમા રાખો. પછી રાતના સમયે તેને 7 વાર બેરોજગાર માણસના માથાથી ઉતારીને 4 સમાન ભાગમાં કાપી લો. પછી એક ચાર રસ્તા પર જઈને ચારે દિશામાં ફેંકી દો. આ ઉપાયથી બેરોજગાર માણસને લાભની શકયતા બનશે. 
* આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે સવારે સ્નાન પછી ચાંદીથી નિર્મિત નાગ-નાગણની પૂજા કરવી. સફેદ પુષ્પની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો કાળસર્પ દોષથી રાહત મેળવવાના આ અચૂક ઉપાય છે. 
* જેને કાળસર્પ દોષ હોય, તે માણસોને અમાવસ્યાના દિવસે કોઈ સારા પંડિતથી તેમના ઘરમાં શિવપૂજન અને હવન કરાવવું જોઈએ. 
* સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. દીવેટમાં રૂના સ્થાને લાલ દોરાના ઉપયોગ કરવું. સાથે જ દીવામાં થોડી કેસર નાખી દો. આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય છે. 
* અમાવસ્યા વાળી રાત્રે 5 લાલ ફૂલ અને 5 પ્રગટતા દીવા વહેતી નદીમાં છોડવું. આ ઉપાયથી ધન પ્રાપ્ત થવાના પ્રબળ યોગ બનશે. 
* અમાવસ્યાની રાત્રી જો તમે કાળા કૂતરાને તેલ લગાવી રોટી ખવડાવો અને તે જ સમયે તે કૂતરો રોટલી ખાઈ લે છે તો આ ઉપાયથી તમારા બધા દુશમન રે જ સમયે શાંત થવા શરૂ થઈ જશે. 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના સેવનથી તમારું શરીર અને ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય તૃતીયાના દિવસે આ 4 વસ્તુઓથી દુર્ભાગ્ય સમાપ્ત થશે, ભાગ્યોદય થશે