Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય જરૂર કરશો ,રહેશે મહાલક્ષ્મીની કૃપા સદાય

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ  ઉપાય જરૂર કરશો ,રહેશે મહાલક્ષ્મીની કૃપા સદાય
, ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (19:05 IST)
*લક્ષ્મી પૂજનના સમયે એક નાળિયેર લો તેના પર અક્ષત ,કંકુ ,પુષ્પ વગેરે અર્પિત કરો તેને પણ પૂજામાં મુકો.
 
* દિવાળીના દિવસે સાવરણી જરૂર ખરીદવી જોઈએ. આખા ઘરની સફાઈ નવી સાવરણીથી કરો . જ્યારે સાવરણીનું  કામ ના હોય તો તેને કોઈને દેખાય ન એ રીતે રાખવી જોઈએ. 
 
* આ દિવસે અમાસ હોય  છે તેથી આ દિવસે પીપળના ઝાડમાં જળ અર્પિત કરવુ  જોઈએ. આવું કરવાથી  શનિ દોષ અને કાલસર્પ દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
* પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવવાથી તેમની કૃપા મળે છે. દિવાળીના શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીના સાથે મહાલક્ષ્મીની કૃપા પણ મળે છે.
 
* દિવાળીમાં સવારે ઘરેથી નીકળતા પહેલાં કેસરનું તિલક કરવુ  જોઈએ. આવું દરરોજ કરવાથી મહા લક્ષ્મીની કૃપા મળશે. 
 
* જો શક્ય હોય તો દિવાળી પર કોઈ ગરીબ માણસને કાળો ધાબળો દાન કરો. આવું કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષ શાંત થશે અને કાર્યોમાં આવતા અવરોધ દૂર થઈ જશે. 
 
* મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્થી શંખ પણ રાખવો જોઈએ. આ શંખ મહાલક્ષ્મીને ઘણો પ્રિય છે એમની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે  છે. 
 
* દિવાળીના પાંચે દિવસ ઘરમાં શાંતિ જાળવી રાખો. કોઈ પણ પ્રકારનો ક્લેશ ,વાદ-વિવાદ ના કરો. જે ઘરમાં શાંતિ રહે છે ત્યાં દેવી લક્ષ્મી હમેશા નિવાસ કરે છે. 
 
* દિવાળીના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું અને સ્નાન કરતી વખતે ન્હાવાના પાણીમાં કાચુ  દૂધ અને ગંગાજળ મિક્સ કરી દો. 
 
* સ્નાન પછી સારા વસ્ત્ર પહેરી અને સૂર્યદેવને જળ અર્પિત કરો. જળ અર્પિત કરવાની સાથે લાલ પુષ્પ પણ સૂર્યને અર્પિત કરો. 
 
* કોઈ બ્રાહ્મણ કે ગરીબ માણસને અનાજ દાન કરો. અનાજની સાથે વસ્ત્રનું  દાન કરવુ પણ શ્રેષ્ઠ રહે છે. 
 
* મહાલક્ષ્મીના મંત્ર ૐ શ્રીં હ્રિં શ્રીં કમળે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમ: 
આ મંત્રનો જાપ કરો .મંત્ર જાપ માટે કમળના ગટટાની માળાનો ઉપયોગ કરો. દિવાળી પર ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. 
 
* દિવાળી પર શ્રીયંત્રના સામે ધૂપ-દીપ લગાવી પૂર્વ દિશાની તરફ મુખ કરી આસન પર બેસો. પછી શ્રીયંત્રનો પૂજન કરો અને    કમલગટટાની માળાથી મહાલક્ષ્મીના મંત્ર   - ૐ શ્રીં હ્રિં શ્રીં કમળે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમ:આ મંત્રનો  જાપ કરો.

* કોઈ પણ મંદિરમાં સાવરણીનું  દાન કરો. જો તમારા ઘરની પાસે મહાલક્ષ્મીનો મંદિર હોય તો ગુલાબની સુંગંધવાળી અગરબતીનું દાન કરો. 
 
* ઘરના મુખ્યદ્વ્રાર પર કુમકુમનો સ્વાસ્તિકનો ચિહ્ન બનાવો.  દ્વ્રારના બન્ને સાઈડ કુમકુમથી જ શુભ-લાભ લખો. 
 
* લક્ષ્મી પૂજનમાં સોપારી મુકો. તેના પર લાલ દોરો લપેટીને અક્ષત ,કુમકુમ,પુષ્પ વગેરે પૂજન સામગ્રીથી પૂજા કરો અને પૂજન પછી આ સોપારીને તિજોરીમાં રાખો. 
 
*દિવાળીના દિવસે શ્વેતાર્ક ગણેશની પ્રતિમા ઘરે લાવો તો હમેશા બરકત રહેશે.પરિવારના સદસ્યોને પૈસાની અછત નહી આવશે . 
 
*જો શક્ય હોય તો આ દિવસે કોઈ તળાવ કે નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. શાસ્ત્રો મુજબ આ પુણ્ય કર્મથી મોટા-મોટા સંકટ દૂર થાય છે. 
 
*  ઘરમાં સ્થિત તુલસીના છોડના પાસે દીવાળીની રાતે દીપક પ્રગટાવો અને તુલસીને વસ્ત્ર અર્પિત કરો. 
 
* સ્ફ્ટિકથી બનેલો શ્રીયંત્ર દીવાળીના દિવસે બજારથી ખરીદીને લાવો . શ્રીયંત્રને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખો કયારે પૈસાની અછત નહી થશે. 
 
* દિવાળી પર સવારે-સવારે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ અર્પિત કરો જળમાં જો કેસર નાખશો તો શ્રેષ્ઠ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ(see video)