Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ?

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ?
P.R
પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

યુપીમાં આજે પણ આરતીની સાથે આદર, સત્કાર-સ્વાગત કરવા માટે તિલક લગાવવામાં આવે છે.

તિલક કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે નાસિકા(નાક)ની ઉપર પ્રારંભિક સ્થળ પર લગાવવામાં આવે છે. જે અમારા ચિંતન-મનનનું સ્થન છે. આ ચેતન-અવચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે. જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે.

આ ચક્રના જમણી બાજુ અંજિમા નાડી અને ડાબી બાજુ વર્ણ નાડી છે.

webdunia
P.R
આ બંનેના સંગમ બિંદુ પર સ્થિત ચક્રને નિર્મલ, વિવેકશેલ, ઉર્જાવાન, જાગૃત રાખવાની સાથે જ તણાવમુક્ત રાખવા માટે તિલક લગાવવામાં આવે છે.

આ બિંદુ પર જો સૌભાગ્યસૂચક દ્રવ્ય જેવુ કે કેશર, કુમકુમ વગેરેનુ તિલક લગાવવાથી સાત્વિક અને તજપૂર્ણ થઈને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. મનમાં નિર્મલતા, શાંતિ અને સંયમમાં વધારો થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati