Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આપ જાણો છો પૂજામાં કાંડા પર લાલ દોરો(નાડા છડી) કેમ બાંધવામાં આવે છે ?

આપ જાણો છો પૂજામાં કાંડા પર લાલ દોરો(નાડા છડી) કેમ બાંધવામાં આવે છે ?
, બુધવાર, 27 જુલાઈ 2016 (15:10 IST)
કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે.  જેને નાડાછડી  કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આવો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને તેના શુ સ્વાસ્થ્ય થાય  છે. 
 
હાથ પર જ્યા લાલ દોરો બાંધવામાં આવે છે. ડોક્ટર પણ એ જ સ્થાન પર નાડી તપાસીને બીમારી વિશે બતાવે છે.  લાલ દોરો બાંધતી વખતે આપણા કાંડા પર દબાણ પડે છે.  જેનાથી ત્રિદોષ મતલબ વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે.  
 
- નાડાછડીના સંબંધમાં માન્યતા છે કે તેને બાંધવાથી ત્રિદેવ મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ત્રણેય દેવીઓ મતલબ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 
 
- બ્રહ્માકી કૃપાથી કીર્તિ, વિષ્ણુની કૃપાથી બળ મળે છે અને શિવજી આપણા દુર્ગુણોનો નાશ કરે છે.  આ જ રીતે લક્ષ્મીથી ધન, દુર્ગાથી શક્તિ અને સરસ્વતીની કૃપાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે શ્રાવણના અચૂક ઉપાય , બનાવી શકે છે તમને માલામાલ