Publish Date: Fri, 17 Aug 2018 (09:35 IST)
Updated Date: Fri, 17 Aug 2018 (10:34 IST)
ધન દરેક કોઈ ઈચ્છે છે. અને તેના માટે અમે બધા સતત પ્રયાસ પણ કરતા રહીએ છે. પણ લાખ કોશિશ પછી પણ જો તમે આર્થિક પરેશાનીથી બહાર નહી નિકળી રહ્યા છો તો ત્રણ શુક્રવારે આ ઉપાય કરો. તમારી પરેશાની દૂર થઈ જશે.
જાણો શું છે ઉપાય
મંત્રોના જાપ
શુક્રવારે સવારે-સવારે સ્નાન કરી પૂજા સ્થાન પર ઘી નો દીવો પ્રગટાવો અને પછી 108 વાર ૐ શ્રી શ્રીયે નમ: નો જપ કરો. આ જાપ સતત ત્રણ શુક્રવારે કરવું.
શાકર અને ખીરનો ભોગ
માતા લક્ષ્મીને શાકર અને ખીર બહુ પસંદ છે. તેથી જાપ કર્યા પછી તેને શાકર અને ખીરનો ભોગ લગાડો.
બાળકીઓને ભોજન કરાવો
ત્યારબાદ નાની બાળકીઓને સાફ પાત્રમાં ભોજન કરાવો. તેને ખીર અને શાકર પણ જરૂર ખવડાવો.