Publish Date: Fri, 18 Nov 2016 (16:36 IST)
Updated Date: Fri, 18 Nov 2016 (16:41 IST)
15 નવંબરથી માર્ગશીર્ષ માસ શરૂ થઈ ગયા છે. જે 13 દિસંબર મંગળવાર સુધી ચાલશે. આ એક મહીનામાં શંખ પૂજનની બહુ જ મહત્વ છે. આ માસમાં કોઈ પણ શંખને ભગવાન કૃષ્ણનું પંચજન્ય શંખ માનીને એમનો પૂજન કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. અહીં સુધી કે સાધારન શંખનો પૂજન પણ પંચજબ્ય શંખના
પૂજનના સમાન ફળ આપે છે. દરરોજ શંખ પૂજન કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી રહે.
વિષ્ણુ પુરાણ મુજન સમુદ્ર મંથનથી પ્રાપ્ત 14 રત્નમાંથી શંખ પણ એક છે. માતા લક્ષ્મી સમુદ્રરાજની પુત્રી છે. અને શંખ એમનો સહોદર ભાઈ છે. એક મહીના ઘરમાં શંખ પૂજનથી સામાન્ય માણ્સમાં પૂરો થશે કરોડપતિ બનવાનું સપના.
પૂજન સામગ્રી- શુદ્ધ ઘી નો દીપક , ધૂપબત્તી , કંકુ , કેસર , ચોખા , જળનું પાત્ર ,પુષ્પ , કાચું દૂધ ,પુષ્પ , ચાંદીનું વર્ક , ઈત્ર , કપૂર અને નૈવૈદ્ય એટલે કે પ્રસાદની વ્યવસ્થા પૂર્વમાં કરીને રાખી લો.
પૂજન વિધિ - શુભ મૂહૂર્તમાં સવારે સ્નાન કરી વસ્ત્ર ધારણ કરો. એક પાત્રમાં સામે શંખ રાખી લો. તેને દૂધ અને જળથી સ્નાન કરાવો. સાફ કપડાથી લૂંછી તેના પર ચાંદીના વર્ક લગાડો. ઘીનો દીપક પ્રગટાવી ધૂપબત્તી પ્રગટાવો. દૂધ અને કેસર મિશ્રિત ઘોલથી શંખ પર શ્રી એકાક્ષરી મંત્ર લખી તેને તાંબા કે ચાંદીના પાત્રમાંસ થાપિત કરી દો. હવે નીચે લખેલું મંત્રનો જાપ કરતા તેના પર કંકુ ,ચોખા , ઈત્ર અર્પિત કરો. શ્વેત પુષ્પ શંખ ચઢાવીને પ્રસાદ ભોગના રૂપમાં અર્પિત કરો.
શંખ પૂજન કરતા સમયે આ મંત્રનો જાપ કરો.
પંચજન્ય પૂજા મંત્ર
ત્વં પુરા સાગરોત્પન્ન વિષ્ણુના વિધૃત: કરે
નિર્મિત : સર્વદેવૈધ્શ્ચ પાંજ્ચજન્ય નમોસ્તુતે તે
તવ નાદેન જીમૂતા વિત્રસંતિ સુરાસુરા
શશાંકાયુતદીપ્તાભ પાંચ્જન્ય નમોસ્તુતે તે !!