Publish Date: Wed, 31 Jan 2018 (16:20 IST)
Updated Date: Wed, 31 Jan 2018 (16:09 IST)
ગ્રહણનો પ્રભાવ મનુષ્યો પર શુભ-અશુભ બંને રીતે પડે છે. અશુભ પ્રભાવથી બચવા માટે અને શુભ પ્રભાવને વધુ લાભકારી બનાવવા માટે યોગ્ય ઉપાયો કરવા જરૂરી છે. અમે અહે રજૂ કરીએ છીએ ગ્રહણથી બચવાના કેટલાક ઉપાયો
ગ્રહણ કાળમાં નીચેના મંત્રોનો જાપ કરો
- ૐ સો સોમાય નમ:
- ૐ રાં રાહવે નમ:
- ૐ નમ: શિવાય
ચંદ્રમા મુખ્ય સ્વરૂપે મનના દેવતા છે. રાહુ-કેતુની નજીક હોવાથી અંધકારની સ્થિતિમાં માનસિક અશાંતિ અને તણાવ ઉત્પન્ન થાય છે. આ ગ્રહણથી બીમાર, માનસિક વિકૃતિવાળા લોકોને વધુ તકલીફ થઈ શકે છે. તેથી દુર્ઘટના, માનસિક રોગ અને તણાવથી બચવા માટે ચંદ્રગ્રહણ પર રાહુથી સંબંધિત ઉપાય કરવા જોઈએ.