ભગવાન વિશ્વકર્મા વિશે 10 રોચક વાતો

વશિષ્ઠ પુરાણ અને વિશ્વકર્મા સમાજ અનુસાર, વિશ્વકર્મા જયંતિ માઘ શુક્લ પક્ષની ત્રયોદશી પર આવે છે, જ્યારે અન્ય લોકો અનુસાર, તે કન્યા સંક્રાંતિના દિવસે આવે છે. ચાલો જાણીએ ભગવાન વિશ્વકર્મા વિશે 10 રોચક વાતો.

social media

બ્રહ્માનો પુત્ર ધર્મ અને ધર્મનો પુત્ર વાસ્તુદેવ હતો. એ જ વાસ્તુદેવની અંગિરસી નામની પત્નીથી વિશ્વકર્માનો જન્મ થયો હતો.

સ્કંદ પુરાણ અનુસાર, ધર્મના આઠમા પુત્ર પ્રભાસના લગ્ન દેવગુરુ બૃહસ્પતિની બહેન ભુવના બ્રહ્મવાદિની સાથે થયા હતા. તેમના ગર્ભમાંથી ભગવાન વિશ્વકર્માનો જન્મ થયો હતો.

વરાહ પુરાણના અ.56 માં ઉલ્લેખ છે કે તમામ લોકોના ભલા માટે બ્રહ્માએ પોતાની બુદ્ધિથી વિચાર કરીને પૃથ્વી પર વિશ્વકર્માની રચના કરી.

ભગવાન વિશ્વકર્માને મનુ, મય, ત્વષ્ટ, શિલ્પી અને દૈવગ્ય નામના પાંચ પુત્રો હતા. રાજા પ્રિયવ્રતે વિશ્વકર્માની પુત્રી બહિર્ષ્મતી સાથે લગ્ન કર્યા હતા.

વિશ્વકર્માજીએ જ દેવી-દેવતાઓના મહેલો અને અસ્ત્ર શસ્ત્રોનું નિર્માણ કર્યું હતું. તેમણે જ લંકા, યમપુરી, દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ અને સુદામાપુરીનું નિર્માણ કર્યું હતું.

વિશ્વકર્માજીના અનેક સ્વરૂપ છે - બે હાથવાળા, ચાર-હાથવાળા અને દસ-હાથવાળા. આ ઉપરાંત એક મુખ, ચાર મુખ અને પંચ મુખ વિશ્વકર્મા.

વિશ્વકર્માના પાંચ અવતાર છે - 1.વિરાટ વિશ્વકર્મા, 2.ધર્મવંશી વિશ્વકર્મા, 3.અંગિરાવંશી વિશ્વકર્મા, 4.સુધન્વ વિશ્વકર્મા અને 5.ભૃંગુવંશી વિશ્વકર્મા.

ભારતમાં વિશ્વકર્મા સમાજના લોકોને જાંગીડ બ્રાહ્મણ સમાજ માનવામાં આવે છે.

વિશ્વકર્માજીએ જ ઋષિ દધીચીના હાડકામાંથી ઈન્દ્રના વજ્ર સહીત દિવ્યાસ્ત્રનું નિર્માણ કર્યું હતું.

વિશ્વકર્મા અને તેમના પુત્રોએ વાયુયાન, જળયાન, કૂવા, બાવડી, કૃષિ યંત્ર, આભૂષણ, મૂર્તિઓ, ભોજનપાત્ર, રથ વગેરેની શોધ કરી હતી.

લગ્ન સમયે રામ અને સીતાની ઉંમર કેટલી હતી?

Follow Us on :-