શું તમે ક્યારેય ખાલી પેટ આદુ ખાધું છે, જાણો ખાલી પેટ ખાવાના ફાયદા અને નુકશાન
પાચન- આદુનો ટુકડો ખાલી પેટ ચાવવાથી અથવા આદુનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. કબજિયાત અને ગેસ દૂર થાય છે.
પીરિયડ્સ દરમિયાન આદુનો ટુકડો ચાવવાથી દુખાવો અને ખેંચાણની ફરિયાદ ઓછી થાય છે.
જો ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટ આદુનું સેવન કરે તો શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ખાલી પેટ આદુનું સેવન કરવાથી મેટાબોલિક રેટ વધે છે, જેનાથી વજન ઓછું થાય છે.
દરરોજ સવારે ખાલી પેટ આદુ કે આદુના પાણીનું સેવન કરવાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.
ગર્ભવતી સ્ત્રીઓએ વધુ માત્રામાં આદુનું સેવન ન કરવું જોઈએ.