Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાવણ સંહિતા તંત્ર મંત્ર - રાતોરાત કિસ્મત બદલી નાખશે રાવણના 10 તાંત્રિક ઉપાય

રાવણ  સંહિતા તંત્ર મંત્ર - રાતોરાત કિસ્મત બદલી નાખશે રાવણના 10 તાંત્રિક ઉપાય
, બુધવાર, 21 ઑક્ટોબર 2015 (17:41 IST)
રાવણ એક નામ જે બુરાઈનું પ્રતીક છે. લંકાધિપતિ રાવણની આ વાતો તો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાનું હરણ કર્યુ. આ કારણે શ્રીરામે તેમનો વધ કર્યો. રાવણને દસ માથા હતા. તેની નાભિમાં અમૃત હતુ. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા.  આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ગુણ પણ છે જે ઘણા ઓછા લોકો જાણે છે. જેવુ કે રાવણ બધા શાસ્ત્રોના માહિતગાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતા. 
 
રાવણે પણ જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રની રચના કરી છે. દશાનને એવા અનેક ઉપાય બતાવ્યા છે જેનાથી કોઈપણ વ્યક્તિનું નસીબ રાતોરાત બદલી શકાય છે.  
 
અહી જાણો રાવણ સંહિતા મુજબ કેટલાક એવા તાંત્રિક ઉપાય જેના દ્વારા કોઈપણ વ્યક્તિનુ નસીબ ચમકે શકે છે.. 
 
આમ તો રાવણ બુરાઈનુ પ્રતીક છે. પણ દશાનનના ગુણ-દોષો દ્વારા આપણે ઘણુ બધુ સીખી શકીએ છીએ.  રાવણે અનેક તાંત્રિક ઉપાય બતાવ્યા છે. અહી આવા જ કેટલાક ઉપાયોગ બતાવવામાં આવી રહ્યા છે. જેનાથી અચાનક ધન પ્રાપ્તિના યોગ બને છે. 
 
ધન પ્રાપ્તિના ઉપાય - કોઈપણ શુભ મુહૂર્તમાં કે કોઈ શુભ દિવસે સવારે જલ્દી ઉઠો. ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને કોઈ પવિત્ર નદી કે જળાશયના કિનારે જાવ. કોઈ શાંત અને એકાંત સ્થળ પર વટ વૃક્ષની નીચે ચામડીનુ આસન પાથરો. આસન પર બેસીને ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરો. 
 
ધન પ્રાપ્તિનો મંત્ર : ૐ હ્વીં શ્રીં ક્લીં નમ: ઘ્વ: ધ્વ: સ્વાહા  
 
આ મંત્રનો જાપ તમે 21 દિવસ સુધી કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો પ્રયોગ કરો. 21 દિવસમાં વધુમાં વધુ સંખ્યામાં મંત્ર જપ કરો.  
 
જેવો આ મંત્ર સિદ્ધ થઈ જશે તે તમને અચાનક પ્રાપ્તિ જરૂર કરાવશે. 
 
- જો કોઈ વ્યક્તિને ધન પ્રાપ્ત કરવામાં વારેઘડીએ અવરોધ આવી રહ્યો હોય તો તેને આ ઉપાય કરવો જોઈએ. 
આ ઉપાય 40 દિવસો સુધી કરવો જોઈએ. આને તમારા ઘર પર જ કરી શકાય છે. ઉપાય મુજબ ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરવાનો છે રોજ 108 વાર. 
 
મંત્ર - ૐ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા ક્રાં ક્લીં, શ્રી શ્રી મમ ઘનં દેહિ ફટ સ્વાહા 
 
આ મંત્રનો જાપ નિયમિત રૂપે કરવાથી થોડાક જ દિવસોમાં મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ જશે અને તમારા ઘનમાં આવી રહેલ અવરોધો દૂર થવા માંડશે. 
 
 જો તમે દસો દિશાઓમાંથી મતલબ ચારે બાજુથી પૈસા પ્રાપ્ત કરવા માંગો છો તો આ ઉપાય કરો. આ ઉપાય દીવાળીના દિવસે કરવો જોઈએ. 
 
દિવાળીની રાત્રે વિધિપૂર્વક મહાલક્ષ્મીનુ પૂજન કરો. પૂજન પછી રાત્રે જલ્દી સૂઈ જાવ અને સવારે જલ્દી ઉઠો. ઉંઘમાંથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરો નહી પણ અહી આપેલ મંત્રનો જાપ 108 વાર કરો. 
 
મંત્ર ૐ નમો ભગવતી પદ્મ પદમાવી ૐ હીં ૐ ૐ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આષ પૂરય સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા. 
 
પથારીમાં જ આ  મંત્રનો જાપ  કર્યા પછી દસેય  દિશાઓમાં દસ-દ્સ વાર ફૂંક મારો. આ ઉપાયથી સાઘકને ચારેબાજુથી પૈસા પ્રાપ્ત થાય છે. 
 
સફેદ આંકડાને છાયડામાં સુકવી લો. ત્યારબાદ કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધમાં મિક્સ કરીને તેને વાટી લો અને તેનુ તિલક લગાવો. આવુ કરતા વ્યક્તિનુ સમાજમાં વર્ચસ્વ વધી જાય છે. 
webdunia

સફેદ આંકડાને છાયડામાં સુકવી લો. ત્યારબાદ કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધમાં મિક્સ કરીને તેને વાટી લો અને તેનુ તિલક લગાવો. આવુ કરતા વ્યક્તિનુ સમાજમાં વર્ચસ્વ વધી જાય છે. 
 
જો તમને એવુ લાગે છે કે કોઈ સ્થાન પર ધન દટાયેલુ છે અને તમે તે ધન પ્રાપ્ત કરવા માંગો છો તો આ ઉપાય કરો 
દટાયેલુ ધન પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ દસ હજારવાર કરવો પડશે.
 
મંત્ર - ૐ નમો વિધ્નવિનાશાય નિધિ દર્શન કુરુ કુરુ સ્વાહા. 
 
દાટેલા ધનના દર્શન કરવા માટેની વિધિ આ પ્રકારની છે. કોઈ શુભ દિવસે અહી આપેલ મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધિ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દટાયેલુ છે ત્યા ઘતુરાના બીજ, ભાંગ, સફેદ ઘુઘુંચી ગંધક, મૈનસિલ, ઉલ્લુની વિષ્ઠા(ચરક) શિરીષ વૃક્ષનુ પંચાગ બરાબર પ્રમાણમાં લો અને સરસિયાના તેલમાં પકવી લો. ત્યારબાદ આ સામગ્રી દ્વારા દટાયેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપ-દીપ ધ્યાન કરો. અહી આપેલ મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો. 
 
આવુ કરવાથી એ સ્થાન પરથી બધી નકારાત્મક શક્તિઓ હટી જશે. ભૂત-પ્રેતનો ભય સમાપ્ત થઈ જશે. સાધકને ભૂમિમાં દટાયેલુ ધન દેખાવવા માંડશે. 
 
ધ્યાન રાખો તાંત્રિક ઉપાય કરતી વખતે કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીની સલાહ જરૂર લો. 
 
શાસ્ત્રો મુજબ દુર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો પ્રયોગ અનેક પ્રકારના ઉપાયોમાં પણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ દુર્વાને કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધ સાથે વાટીને તેનુ તિલક લગાવે તો તે કોઈપણ કામમાં નિષ્પળ નથી થતો. 
webdunia
webdunia

મહાલક્ષ્મીની કૃપા તરત પ્રાપ્ત કરવા માટે આ તાંત્રિક ઉપાય કરો. 
 
કોઈ શુભ મુહુર્ત જેવી કે દિવાળી, અખાત્રીજ હોળી વગેરેની રાત્રે આ ઉપાય કરવો જોઈએ. દિવાળીની રાત્રે આ ઉપાય શ્રેષ્ઠ ફળ આપે છે.  આ ઉપાય મુજબ તમે દિવાળીની રાત્રે કુમકુમ કે અષ્ટગંધથી થાળી પર અહી આપેલ મંત્ર લખો. મંત્ર -  ૐ હ્રીં શ્રીં ક્લીં મહાલક્ષ્મી, મહાસરસ્વતી મમગૃહે આગચ્છ-આગચ્છ હ્રીં નમ: 
 
આ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. કોઈ સ્વચ્છ આસન પર બેસીને રૂદ્રાક્ષની માળા કે કમળકાકડીની માળાની સાથે મંત્ર જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. વધુમાં વધુ આ મંત્ર તમારી શ્રદ્ધામુજબ વધારી શકો છો. 
 
આ ઉપાયથી તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા માંડશે. 
 
અપામાર્ગના બીજને બકરીના દૂધમાં મિક્સ કરીને વાટી લો. લેપ બનાવી લો. આ લેપને લગાવવાથી વ્યક્તિનુ સમાજમાં આકર્ષણ ખૂબ વધી જાય છે. બધા લોકો તેમનુ કહેવુ માને છે. 
 
જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અકૂત ધન સંપત્તિ ઈચ્છો છો તો આ ઉપાય કરો. 
 
ઉપાય મુજબ તમને અહી આપવામાં આવી રહેલ મંત્રનો જાપ ત્રણ મહિના સુધી કરવાનો છે. રોજ મંત્રનો જાપ ફક્ત 108 વાર કરો. 
 
મંત્ર ૐ યક્ષાય કુબેરાય વૈશ્વવાણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિમાં દેહિ દાપય સ્વાહા. 
 
મંત્ર જાપ કરતી વખતે તમારી પાસે ધનલક્ષ્મી કોડી મુકો. જ્યારે ત્રણ મહિના થઈ જાય તો આ કૌડી તમારી તિજોરીમાં કે જ્યા તમે પૈસા મુકો છો ત્યા મુકો. આ  ઉપાયથી જીવનભર તમને પૈસાની કમી નહી થાય. 
 
જો તમારા ઘર કે સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા માંગો છો તો બિલિપત્ર અને લીંબૂ લઈને તેને બકરીના દૂધમાં મિક્સ કરીને વાટી લો. 

Share this Story:

Follow Webdunia gujarati