Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri Navami Puja: મહાનવમીના દિવસે આ મુહૂર્તમાં કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા, દરેક મનોકામના થશે પૂરી

Navratri Navami Puja: મહાનવમીના દિવસે આ મુહૂર્તમાં કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા,  દરેક મનોકામના થશે પૂરી
, મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (08:44 IST)
Navratri Navami Puja:  4 ઓક્ટોબરે મહાનવમી છે. નવરાત્રીની મહાનવમીને શક્તિ સાધના તરીકે યાદ કરવામાં આવે છે. દુર્ગા પૂજાના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી એ મા દુર્ગાનું અંતિમ સ્વરૂપ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાનવમી પર દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, તેથી તેમને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની યથાશક્તિ અને ભક્તિ સાથે પૂજા કરવાથી ભક્તોને તમામ પ્રકારના સૌભાગ્ય અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઘણા લોકો કન્યાની પૂજા કરે છે અને શુભ મુહૂર્તમાં હવન કરે છે અને પછી વ્રતનુ પારણ કરે છે ચાલો જાણીએ નવરાત્રીની મહા નવમીના મુહૂર્ત, યોગ અને પૂજા વિધિ
 
નવરાત્રી 2022 નવમી શુભ મુહૂર્ત
 
નવરાત્રી મહાનવમી  શરૂ તારીખ  - 3જી ઓક્ટોબર 2022, સાંજે 04.37 કલાકે
નવમી તારીખ   - 4 ઓક્ટોબર 2022, બપોરે 02.20 કલાકે
હવન મુહૂર્ત - 06.21 am - 02.20 pm
નવરાત્રી નવમી વ્રતના પારણા - 02.20 મિનિટ પછી
બ્રહ્મ મુહૂર્ત - 04:43 am - 05:32 am
અભિજીત મુહૂર્ત - 11:52 am - 12:39 pm.
 
 
આ રીતે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા
મા સિદ્ધિદાત્રીને દેવી માનવામાં આવે છે જે તેમના નામમાં આઠ સિદ્ધિઓ આપે છે. નવરાત્રિની નવમી પૂજામાં દેવી સિદ્ધિદાત્રીને નવ કમળના ફૂલ અથવા માત્ર ચંપાનાં ફૂલ પણ અર્પણ કરી શકાય છે. કન્યાભોજમાં બનાવેલો પ્રસાદ ચઢાવો. ચારમુખી દીવો પ્રગટાવીને દેવીના મંત્રોનો જાપ કરો. 9 કન્યાઓની વિધિવત પૂજા કરો. આ પછી, શુભ મુહૂર્તમાં હવન કરો અને પછી નવમી તિથિના સમાપ્ત થતા વ્રતનુ પારણ  કરો
 
મા સિદ્ધિદાત્રી પ્રિય ભોગ, ફૂલો અને રંગો
માતા સિદ્ધિદાત્રીને ચણા, પુરી, હલવાનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. નવમીના દિવસે આ જ ભોજન કન્યાઓને ખવડાવવામાં આવે છે. દેવીને ચંપા, કમળ અથવા જાસુદના ફૂલ ચઢાવો, તેનાથી પરિવારમાં ખુશીઓ આવશે. તેમજ મા સિદ્ધિદાત્રીની પૂજામાં ગુલાબી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુલાબી રંગ પ્રેમ અને સ્ત્રીત્વનું પ્રતીક છે.
 
મા સિદ્ધિદાત્રી મંત્ર
બીજ મંત્ર - ह्रीं क्लीं ऐं सिद्धये नम: (નવમી પર 1100 વાર જાપ કરવાથી લાભ મળશે)
પ્રાર્થના મંત્ર - सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि। सेव्यमाना यदा भूयात् सिद्धिदा सिद्धिदायनी॥
 
મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ 
માતા સિદ્ધિદાત્રીની ચાર ભુજાઓ છે, જેમાં ગદા, કમળ, શંખ અને સુદર્શન ચક્ર છે. મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી અષ્ટ સિદ્ધિ અને નવનિધિ, બુદ્ધિ અને વિવેકબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kanya pujan- અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કેવી રીતે કરીએ