Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૈન ધર્મને ઓળખો

જૈન ધર્મને ઓળખો
N.D
'णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं॥'

ભાવાર્થ : અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, બધા જ સાધુઓને નમસ્કાર.

દુનિયામાં સૌથી પ્રાચીન ધર્મ જૈન ધર્મને શ્રમણોનો ધર્મ કહેવામાં આવે છે. વેદોમાં પ્રથમ તીર્થકર ઋષભનાથનો ઉલ્લેખ મળે છે. માનવામાં આવે છે કે વૈદિક સાહિત્યમાં જે યતિઓ અને વ્રાત્યોનો ઉલ્લેખ મળે છે તે બ્રાહ્મણ પરંપરાના ન હોઈને શ્રમણ પરંપરાના હતાં. મનુસ્મૃતિમાંમાં લિચ્છવિ, નાથ, મલ્લ વહેરે ક્ષત્રિયોનો વ્રાત્યોમાં ગણવામાં આવે છે.

કહેવાનો અર્થ છે કે પ્રાચીનકાળથી જ શ્રમણોની પરંપરા વેદોને માનનારાઓની સાથે ચાલી આવી રહી છે. ભગવાન પાર્શ્વનાથ સુધી આ પરંપરા ક્યારેય પણ સંગઠિત રૂપમાં અસ્તિત્વમાં નહોતી આવી. પાર્શ્વનાથથી પાર્શ્વનાથ સંપ્રદાયની શરૂઆત થઈ હતી અને આ પરંપરાને એક ગઠિત રૂપ મળ્યું હતું. ભગવાન મહાવીર પાર્શ્વનાથ સંપ્રદાયના જ હતાં.

જૈન શબ્દ જીન શબ્દ પરથી બનેલો છે. જીન બન્યો છે 'જી' ધાતુથી જેનો અર્થ થાય છે જીતવું. જીન એટલે જીતનારો. જેણે સ્વયંને જીતી લીધો તેને જીતેંદ્રીય કહે છે.

ત્રેસઠ શલાકા પુરૂષ : કુલકરોની પરંપરા પછી જૈન ધર્મમાં લગભગ ચોવીસ તીર્થકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ વાસુદેવ અને નવ પ્રતિ વાસુદેવ બધા મળીને 63 મહાન પુરૂષ થયા છે. આ 63 શલાકા પુરૂષોનો જૈન ધર્મ અને દર્શનને વિકસિત અને વ્યવસ્થિત કરવામાં મહત્વપુર્ણ યોગદાન રહ્યું છે.

ચોવીસ તીર્થકર : જેવી રીતે હિંદુઓમાં 10 અવતાર થયા છે તેવી જ રીતે જૈનમાં 24 તીર્થકર થયા છે જેના નામ નિમ્નલિખિત છે- ઋષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંટ, શીતલ, શ્રેયાંશ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મલ્લિ, મુનિવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીર.

મહાવીરનો માર્ગ : છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરે તીર્થકરોના ધર્મ અને પરંપરાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું. કૈવલ્યનો રાજપથ નિર્મિત કર્યો. સંઘ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું- મુનિ, આર્યિકા, શ્રાવણ અને શ્રાવિકા. આ જ તેમનો ચતુર્વિઘ સંઘ કહેવાયો.

એટલા માટે તેમણે ધર્મનો મૂળ આધાર અહિંસાને બનાવી અને તેના વિસ્તાર રૂપ પંચ મહાવ્રતો (અહિંસા, અમૃષા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ) તેમજ યમોનું પાલન કરવા માટે મુનિયોને ઉપદેશ કર્યો.

ગૃહસ્થોના પણ તેમણે સ્થુળરૂપ-અણુવ્રત રૂપ નિર્મિત કર્યા. તેમણે શ્રદ્ધાન માત્રથી લઈને, કોપીનમાત્ર ધારી હોવા સુધી આ અગિયાર દર્જ નક્કી કર્યા. દોષો અને અપરાધોના નિર્વારણાર્થે તેમણે નિયમિત પ્રતિક્રમણ પર જોર આપ્યું.

જૈન ત્રિરત્ન : સમ્યકદર્શનજ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગ:। 1. સમ્યક દર્શન 2. સમ્યક જ્ઞાન અને 3. સમ્યક ચરિત્ર. આ ત્રણેય મળીને જ મોક્ષનો દ્વાર ખોલે છે. આ જ કૈવલ્ય માર્ગ છે.

જૈન ધર્મગ્રંથ : ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા હતાં તેને તેમના પછીના ગણધરોએ, પ્રમુખ શિષ્યોએ સંગ્રહ કરી લીધા. આ સંગ્રહનું મૂળ સાહિત્ય પ્રાકૃત અને વિશેષ રૂપમાં મગધીમાં છે.

ભગવાન મહાવીરના પૂર્વના જૈન સાહિત્યને મહાવીરના શિષ્ય ગૌતમે સંકલિત કરી લીધું હતું જેને 'પુર્વ' માનવામાં આવે છે. આ રીતે ચૌદ પૂર્વોનો ઉલ્લેખ મળે છે.

અહિંસા પરમો ધર્મ : આમ તો વેદોમાં પણ અહિંસાના સૂત્રો છે. ભગવાન બુદ્ધે પણ અહિંસાને મહત્વ આપ્યું છે પરંતુ અહિંસાને વ્યાપક રૂપથી પ્રચાર કરવાનો શ્રેય જૈન ધર્મને જ જાય છે.

જૈન ધર્મના આચારનો મૂળ મંત્ર છે અહિંસા. જૈન ધર્મમાં અહિંસાનુ સૌથી ઉંચુ સ્થાન છે. જૈન ધર્મગ્રંથોમાં અહિંસાની ખુબ જ સુક્ષ્મ વિવેચના કરવામાં આવી છે. સ્થુળ હિંસા તો પાપ છે જ પરંતુ ભાવ હિંસાને પણ સૌથી મોટુ પાપ ગણવામાં આવ્યું છે.

દિગંમ્બર અને શ્વેતાબંર : ભગવાન મહાવીરે જૈન ધર્મની ધારાઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય કર્યું, પરંતુ તેમના પછી જૈન ધર્મ મુખ્ય બે સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયો- શ્વેતાંબર અને દિગંબર.


બંને સંપ્રદાયોમાં મતભેદ દાર્શનિક સિદ્ધાંતોથી વધારે ચરિત્રને લઈને છે. દિગમ્બર આચરણ પાલનમાં ઘણું કઠળ છે જ્યારે કે શ્વેતાંબર થોડુક ઉદાર છે. શ્વેતાંબર સંપ્રદાયના મુનિ શ્વેત વસ્ત્રો પહેરે છે જ્યારે કે દિગમ્બર મુનિ નિર્વસ્ત્ર રહીને સાધના કરે છે. વેદોમાં પણ તેમને 'વાતરશના' કહેવામાં આવ્યાં છે.

દિગમ્બર સંપ્રદાય માને છે કે મૂળ આગમ ગ્રંથ લુપ્ત થઈ ગયો છે, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થવા [અર સિદ્ધને ભોજનની આવશ્યકતા પણ નથી રહેતી અને સ્ત્રી શરીરથી કૈવલ્ય જ્ઞાન શક્ય નથી, પરંતુ શ્વેતાંબર સંપ્રદાયમાં આવું નથી માનતાં.

દિગમ્બરોની પ્રમુખ રૂપે એક શાખા છે મંદિર માર્ગી અને શ્વેતાંબરોની મંદિર માર્ગી તેમજ સ્થાનકવાસી બે શાખાઓ. આ શાખાઓની અમુક ઉપશાખાઓ પણ છે. જૈનીઓની તેરહપંથીઓ, વીસપંથી, તારણપંથી, યાપનીય વગેરે અને અમુક અન્ય ઉપશાખાઓ પણ છે. જૈન ધર્મની બધી જ શાખાઓમાં અમુક મતભેદ હોવા છતાં પણ ભગવાન મહાવીર તેમજ અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં બધાનો સમાન વિશ્વાસ છે.

જૈન દર્શન : જીવ અને અજીવ

જૈન દર્શન અનુસાર અસ્તિત્વ અને સત્તાના બે તત્વો છે- જીવ અને અજીવ. જીવ છે ચેતના જેમાં જીવ છે અને અજીવ છે જડ એટલે કે જેમાં ચેતના અથવા ગતિનો અભાવ છે. જીવ બે પ્રકારના હોય છે એક તો તે જે મુક્ત થઈ ગયાં હોય અને બીજા તે જે બંધનમાં છે. આ બંધનથી મુક્તિનો માર્ગ જ કૈવલ્યનો માર્ગ છે.

ભૌતિક જડ દ્રવ્ય માટે જૈન 'પુગદલ' શબ્દનો પ્રયોગ કરે છે. જૈન દર્શન અનુસાર ચેતન જીવ અને અચેતન પુદગલ બંને એકબીજા કરતાં અલગ, સ્વતંત્ર અને નિત્ય તત્વ છે. એટલે કે બ્રહ્માંડમાં માત્ર જીવ અને અજીવ બે જ તત્વો છે.

અનેકાંતવાદ અને સ્યાદવાદ :
અનેકાંતવાદ વસ્તુ અને સ્યાદવાદ જ્ઞાનની સાપેક્ષતાના સિદ્ધાંત છે. આને સમજવું ઘણું મુશ્કેલ છે. અહીંયા એટલુ જ જાણવું ઉચિત છે કે આ પદાર્થ અને જ્ઞાન (આત્મા) સંબંધી જૈન અવધારણાના સિદ્ધાંત છે. સત્તાની દ્રષ્ટિએ આને અનેકાંતવાદ અને જ્ઞાનની દ્રષ્ટિએ આને સ્યાદવાદ કહેવામાં આવે છે.

અનેકાંતવાદ : આ જગતમાં અનેક વસ્તુઓ છે અને અનેક ધર્મ (ગુણ-તત્વ) છે. જૈન દર્શન માને છે કે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, ઝાડ અને છોડમાં જ ચેતના અને જીવ નથી હોતા પરંતુ ધાતુઓ અને પત્થરો જેવા જડ પદાર્થમાં પણ જીવ રહે છે. પુદગલાણું પણ અનેક અને અનંત છે જેમના સંઘાત બનતાં અને બગડતાં રહે છે.

અનેકાંતવાદ કહે છે કે વસ્તુમાં અનેક ગુણધર્મ હોય છે. વસ્તુના અનેક ધર્મ આગંતુક એટલે કે આવતાં જતાં રહે છે. આનો અર્થ છે કે પદાર્થ ઉત્પન્ન અને વિનષ્ટ થતો રહે છે, પરિવર્તનશીલ, આકસ્મિક અને અનિત્ય છે. જેથી કરીને પદાર્થ કે દ્રવ્યનું લક્ષણ છે બનવું. આ જ અનેકાંતવાદનો સાર છે.

આને તે રીતે સમજો કે દરેક વસ્તુમાં મુખ્ય અને ગૌણ, બે ભાગોમાં વહેચીએ તો એક દ્રષ્ટિથી એક વસ્તુ સત માની શકાય છે અને બીજી દ્રષ્ટિએ તેને અસત. અનેકાંતમાં બધા જ વિરોધોનો સમંવય થઈ જાય છે. જેથી કરીને સત્યને કેટલાયે દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે.

સ્યાદવાદ : 'સાપેક્ષતા', એટલે કે 'કોઈની પણ અપેક્ષાથી'. અપેક્ષાના વિચારોથી કોઈ પણ વસ્તુ સત પણ હોઈ શકે છે, અસત પણ. આને 'સતભંગી નય'થી સમજી શકાય છે. આનું નામ જ 'સ્યાદવાદ' છે.

સ્યાદવાદનો અર્થ સાપેક્ષતાવાદ થાય છે. સાપેક્ષ સત્ય. આપણે કોઈ પણ પદાર્થ કે બ્રહ્માંડનું જ્ઞાન દાર્શનિક બુદ્ધિની કોટિઓ દ્વારા પ્રાપ્ત નથી કરી શકાતી. આનાથી માત્ર આંશિક સત્ય જ હાથ લાગે છે. આને માટે જૈન એક ઉદાહરણ આપે છે-

એક આંધળાએ હાથીના પગ પકડીને તેને થાંભલા સમાન કહ્યો. બીજાએ કાન પકડીને કહ્યું કે હાથી સુપડા સમાન છે. ત્રીજાએ સુંઢ પકડીને કહ્યું હાથી એક વિશાળ અજગર છે અને ચોથાએ પુંછડી પકડીને કહ્યું કે હાથી રસ્સી સમાન છે. દાર્શનિક અને તાર્કિક વિવાદ પણ આવી જ રીતે ચાલે છે, પરંતુ બધા જ આંખોવાળા જાણે છે કે સમગ્ર હાથી આમાંથી કોઈને પણ સમાન નથી.

મહાવીર સ્વામીએ સ્વયં ભગવતીયસૂત્રમાં આત્માની સત્તાના વિષયમાં સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ અને સ્યાદ અવક્તવ્યમ આ ત્રણેય ભંગોનો ઉલ્લેખ કર્યો છે.

આત્મા અને બ્રહ્માંડ સંબંધી જૈન ધારણાઓ : ઈશ્વરવાદી ધર્મ માને છે કે જીવ અને ઈશ્વર જગતને ઈશ્વરે બનાવ્યો છે. આનો અર્થ ત્રણનું અસ્તિત્વ થયું. પહેલો ઈશ્વર, બીજો જીવ અને ત્રીજુ જગત. પરંતુ જૈન ધર્મનું માનવું છે કે માત્ર બે નું જ અસ્તિત્વ છે પહેલો જીવ અને બીજું જગત. જીવ કેટલાયે છે તેવી રીતે કે જેવી રીતે જગતમાં કેટલાયે તત્વો છે.

બેનું જ અસ્તિત્વ છે- જીવ અને જગત. બંને એકબીજાથી બદ્ધ છે. બદ્ધ એટલે કે બંધનમાં હોવું. શરીર અને આત્મા. આત્મા વિના શરીર નિશ્વેત છે અને શરીર વિના આત્માની ઉપસ્થિતિનો કોઈ જ અર્થ નથી. પરંતુ જે મુક્ત આત્મા છે તેને જ આત્મા થવાનો આભાસ છે.

Share this Story:

Follow Webdunia gujarati