જકાર્તામાં સાત માળની ડ્રોન કંપનીની ઇમારતમાં લાગેલી આગમાં 15 મહિલાઓ સહિત 20 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે, જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં 15 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, તેમાંથી ઘણા લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા છે.
ઘણા લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે
અહેવાલો અનુસાર, ઘણા લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમો અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આગની માહિતી મળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી.