Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jagannath Rath Yatra: જગન્નાથ યાત્રામાં કેટલા રથ હોય છે, કોણ કરે છે આ રથોનુ નિર્માણ, જાણો

rath yatra
, મંગળવાર, 24 જૂન 2025 (16:09 IST)
rath yatra


Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રા 2025 માં 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે. ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની કાકી ગુંડીચાને મળવા જાય છે. ગુજરાતમા રથયાત્રા નિજ મંદિરથી સરસપુર ભગવાન જગન્નાથના મોસાળ સુધી જાય છે.  આ પરંપરા રથયાત્રા દ્વારા નિભાવવામાં આવે છે. દર વર્ષે જગન્નાથ રથયાત્રા આ વર્ષે 27 જૂનથી એટલે કે અષાઢ મહિનાની બીજથી શરૂ થાય છે. જગન્નાથ રથયાત્રા ફક્ત થોડા દિવસોની યાત્રા નથી પરંતુ તેની તૈયારી ઘણા મહિનાઓ અગાઉથી ચાલે છે. રથયાત્રાની તૈયારીમાં ઘણા પ્રકારના કારીગરો પણ ભાગ લે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જગન્નાથ રથયાત્રામાં કેટલા રથ છે અને તેને કોણ બનાવે છે તેની માહિતી આપીશું.
 
જગન્નાથ રથયાત્રામાં 3 રથ છે
 
બલભદ્રનો તાલધ્વજ રથ
 
સુભદ્રાનો દર્પદલન રથ
 
ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ
 
રથ કોણ બનાવે છે?
 
જગન્નાથ રથયાત્રાના રથ એક કે બે નહીં પણ સાત સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે. રથ બનાવવાની પ્રક્રિયા અક્ષય તૃતીયાથી શરૂ થાય છે.
 
વિશ્વકર્મા સમુદાય - તેમને મહારાણા પણ કહેવામાં આવે છે. આ સમુદાયના લોકો ત્રણ રથોના કદ અને રચના પર ધ્યાન આપે છે. રથની ઊંચાઈ પણ તેમના દ્વારા નક્કી કરવામાં આવે છે.
 
માળી સમુદાય - આ સમુદાય ત્રણ રથોના શણગાર માટે ફૂલો, માળા વગેરે બનાવે છે.
 
દરજી સમુદાય - ત્રણ રથોના કપડાં આ સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. તેઓ ભગવાનના કપડાં તેમજ રથના અન્ય સ્થળોએ વપરાતા કપડાં બનાવે છે.
 
સુથાર સમુદાય - લાકડાનું બધું કામ સુથાર સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે. આ લોકો રથના વિવિધ ભાગોમાં પણ જોડાય છે.
 
ચિત્રકાર સમુદાય - આ લોકો રથ પર રંગબેરંગી ચિત્રો અને સુશોભન સામગ્રી લગાવવા માટે જવાબદાર છે.
 
લોહાર સમુદાય - રથ પર વપરાતા લોખંડના ભાગો આ સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે.
 
કુંભાર સમુદાય- કુંભાર ત્રણેય રથના પૈડા બનાવે છે.
 
આ સાત સમુદાયો ઉપરાંત, રથયાત્રાને સફળ બનાવવા માટે અન્ય લોકો પણ જવાબદાર છે, પરંતુ તેઓ આકર્ષક રથ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્સરથી પીડિત 60 વર્ષીય દાદી સાથે પૌત્રએ કર્યું શરમજનક કૃત્ય